ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1411 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,33,219 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1411 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,33,219એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 10 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3419એ પહોંચ્યો છે. જ્યારે 1231 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 84.93 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 60,357 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે અમદાવાદ કોર્પોરેશન 178, સુરત કોર્પોરેશન 160, રાજકોટ કોર્પોરેશન 112, સુરત 109, વડોદરા કોર્પોરેશન 92, જામનગર કોર્પોરેશન 81, રાજકોટ 59, મહેસાણા 52, વડોદરા 41, બનાસકાંઠા 36, કચ્છ 34, સુરેન્દ્રનગર 34, ભાવનગર 31, અમરેલી 30, પાટણ 27, ગાંધીનગર 26, મોરબી 24, ભરૂચ 21, અમદાવાદ 19, ગાંધીનગર કોર્પોરેશન 19, સાબરકાંઠા 19, જામનગર 18, પંચમહાલ 18, આણંદ 16, ભાવનગર કોર્પોરેશન 16, ખેડા 16, જુનાગઢ કોર્પોરેશન 15, જુનાગઢ 14, દાહોદ 12, તાપી 12, મહીસાગર 11, નવસારી 11, ગીર સોમનાથ 9, વલસાડ 8, દેવભૂમિ દ્વારકા 7, અરવલ્લી 6, નર્મદા 6, છોટા ઉદેપુર 5, પોરબંદર 3, બોટાદ 2, ડાંગ 2 મળી કુલ 1411 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 1, જુનાગઢ કોર્પોરેશન 1, રાજકોટ 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3419એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 113140 નાગરીકો સાજા થઈ ગયા છે. 3419ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,660 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 86 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,574 સ્ટેબલ છે.

આજે કોરોનાના 60,357 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં આજે કુલ 60,357 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 42,32,408 ટેસ્ટ કરવામાં આવ્યા.

અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર ઘટ્યા

જોકે અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર ઘટ્યા છે. શહેરમાં હાલમાં 221 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર છે. 22 વિસ્તારને કન્ટેઇનમેન્ટમાંથી મુક્ત જાહેર કરાયા છે. અમદાવાદમાં ફરીથી કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને તંત્ર ફરીથી સતર્ક બન્યું છે. અમદાવાદમાં ફરી ટેસ્ટિંગમાં વધારો થયો છે. અગ્રેસીવ ટેસ્ટિંગની રણનીતિ બાદ કેસમાં વધારો થયો છે.

હાઇકોર્ટના આદેશ બાદ AMCની કડક કાર્યવાહી

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ રોકવા AMCએ કડક કાર્યવાહી કરી છે. AMC દ્વારા નવરંગપુરા-વસ્ત્રાપુર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. HL કોલેજ પાસેનું ચાય સુટ્ટા બાર અને IIM રોડ પર ડેનિસ કોફીબાર સીલ કરવામાં આવ્યું છે. સામાજિક અંતર ન જળવાતા કાર્યવાહી કરવામાં આવી છે. 2 દિવસ પહેલા SG હાઇવે પર કાફે સીલ કર્યા હતા. હાઇકોર્ટના આદેશ બાદ AMCએ કડક કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો