ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 2869 કેસો નોંધાયા, 33 લોકોના કોરોનાથી મોત, 9302 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત નબળી પડી રહી છે. ગુજરાતમાં સતત કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આજે કોરોનાનાં કેસો ત્રણ હજારથી પણ ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 2869 કેસો અને 33 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 9302 દર્દીઓ સાજા થયા હતા. અને આજે પણ રાજ્યમાં 2,26,603 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 7,97,222 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 9734 પર પહોંચ્યો છે. અને કુલ 7,20,050 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અને રાજ્યનો રિકવરી રેટ વધીને 92.66 ટકા પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક 50 હજારથી નીચે પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 49,082 પર પહોંચ્યો છે. જેમાંથી 583 દર્દીઓ વેન્ટિલેટર પર છે, તો 48,499 દર્દીઓની હાલત સ્થિર છે.

રાજ્યમાં કોરોનાનો કેસોની જિલ્લાવાર વિગત જોઈએ તો, અમદાવાદમાં નવા 352 કેસ, 6નાં મોત, વડોદરામાં નવા 530 કેસ, 4નાં મોત, સુરતમાં નવા 323 કેસ, 4નાં મોત, રાજકોટમાં નવા 173 કેસ, 2નાં મોત, જામનગરમાં નવા 69 કેસ, 2નાં મોત, ગાંધીનગરમાં નવા 58 કેસ, એકનું મોત, જૂનાગઢમાં 193 અને ભાવનગરમાં 50 કેસ, પોરબંદરમાં 86, ભરૂચમાં 74, પંચમહાલમાં 73 કેસ, ગીર સોમનાથમાં 69, સાબરકાંઠામાં 68 કેસ, બનાસકાંઠા – અમરેલીમાં 67 – 67, મહેસાણામાં 65 કેસ, ખેડામાં 63, દ્વારકા – નવસારીમાં 58 – 58 કેસ, કચ્છમાં 57, આણંદમાં 48, મહિસાગરમાં 45 કેસ, વલસાડમાં 41, પાટણમાં 35, અરવલ્લીમાં 33 કેસ, સુરેન્દ્રનગરમાં 33, નર્મદામાં 28, દાહોદમાં 22 કેસ, છોટાઉદેપુરમાં 12, મોરબીમાં 9, તાપીમાં 8, બોટાદમાં 2 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો