ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,352 કેસો નોંધાયા, 170 લોકોના કોરોનાથી મોત, 7803 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાનાં 14 હજારથી ઉપર કેસો નોંધાય છે. પણ રાહતની એ વાત છે કે કોરોનાનાં કેસો હવે કૂદકે ને ભૂસકે વધી રહ્યા હતા. જે હવે છેલ્લા બે દિવસથી મામૂલી વધારો જ જોવા મળી રહ્યો છે. ગત રોજ કોરોનાનાં 14340 કેસ નોંધાયા હતા. જ્યારે 158 દર્દીનાં મોત હતા. પણ આજે કોરોના કેસ 14352 નોંધાયા છે. જ્યારે મોતનો આંકડો 170એ પહોંચી ગયો છે. અને 7803 લોકોએ કોરોનાને માત આપી હતી. જ્યારે 1,67,977 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં હાલ કુલ કેસોનો આંક 5,24,725 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 6656 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને કુલ 3,90,229 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યનો રિકવરી રેટ 74.37 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,27,840 પર પહોંચી છે. અને 418 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેમજ 1,27,422 દર્દીઓની હાલત સ્થિર છે. 

જિલ્લાવાર વિગતો જોઈએ તો, અમદાવાદમાં નવા 5725 કેસ, 26નાં મોત, સુરતમાં નવા 2269 કેસ, 27નાં મોત, રાજકોટમાં નવા 534 કેસ, 13નાં મોત, વડોદરામાં નવા 631, 14નાં મોત, ભાવનગરમાં નવા 357 કેસ, 4નાં મોત, જામનગરમાં નવા 697 કેસ, 18ના મોત, ગાંધીનગરમાં નવા 325 કેસ, એકનું મોત, જૂનાગઢમાં નવા 261 કેસ, 5નાં મોત, અમરેલીમાં 188, આણંદમાં 124, અરવલ્લીમાં 86 કેસ, બનાસકાંઠામાં 224, ભરૂચમાં 175, બોટાદમાં 53 કેસ, છોટા ઉદેપુરમાં 69, દાહોદમાં 216, ડાંગમાં 22 કેસ, દ્વારકામાં 40, સોમનાથમાં 126, ખેડામાં 57 કેસ, કચ્છમાં 177, મહિસાગરમાં 166, મહેસાણામાં 469 કેસ, મોરબીમાં 68, નર્મદામાં 58, નવસારીમાં 128 કેસ, પંચમહાલમાં 107, પાટણમાં 210, પોરબંદરમાં 47 કેસ, સાબરકાંઠામાં 106 અને સુરેન્દ્રનગરમાં 262 કેસ, તાપીમાં 151 અને વલસાડમાં 124 કેસ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો