ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,340 કેસો નોંધાયા, 158 લોકોના કોરોનાથી મોત, 7727 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં સતત વકરી રહેલાં કોરોનાનાં સંક્રમણની ગતિ હવે ધીમી પડતાં જોવા મળી રહી છે. હવેથી કોરોનાનાં દૈનિક કેસોમાં જે અગાઉ 1000ની ગતિએથી વધતાં હતાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યા છે. ગત રોજ કોરોનાનાં 14,296 કેસ-157નાં મોત હતા. જ્યારે આજે રાજ્યમાં 14,340 કેસ અને 158 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 7727 વ્યક્તિઓ સાજા થયા છે. જ્યારે આજે રાજ્યમાં 1,59,093 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી કોરોનાની રફતાર ધીમી પડી હોય તેવી આશા જાગી છે.

રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક 4,77,692 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 3,82,426 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 74.93 ટકા પર આવી ગયો છે. અને રાજ્યમાં અત્યાર સુધી કુલ 6486 દર્દીઓનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,21,461 પર પહોંચી છે. જેમાંથી 412 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે 1,21,049 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

અમદાવાદમાં 5679 કેસ, 27નાં મોત, સુરતમાં કોરોનાના 1876 કેસ, 25નાં મોત, રાજકોટમાં 598 કેસ, 14નાં મોત, વડોદરામાં કોરોનાના 706 કેસ, 16નાં મોત, જામનગરમાં 668 કોરોના કેસ, 14 મોત, ભાવનગરમાં કોરોનાના 536, 4નાં મોત, ગાંધીનગરમાં 343 કોરોના કેસ, 2નાં મોત, જૂનાગઢમાં કોરોનાના 259 કેસ, 5નાં મોત, મહેસાણામાં 531, બનાસકાંઠા 297, દાહોદમાં 250 કેસ, કચ્છમાં 232, પાટણ 230, સુરેન્દ્રનગર 199 કેસ, પંચમહાલ 176, સાબરકાંઠા 161, અમરેલી 158 કેસ, મહિસાગર 157, તાપી 156, ખેડામાં 149 કેસ, ભરૂચ 135, નવસારી 125, ગીરસોમનાથ 121 કેસ, વલસાડ 118, આણંદ 92, અરવલ્લી 77 કેસ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો