ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 129 કેસો નોંધાયા, 2 લોકોના કોરોનાથી મોત, 507 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં કોરોનાની બીજી લહેરના ખાત્મા બાદ સતત કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 129 કેસો નોંધાયા હતા. જ્યારે 2 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 507 દર્દીઓ સાજા થયા હતા. આ ઉપરાંત આજે 4.44 લાખ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યનો રિકવરી રેટ 98.24 ટકા પર પહોંચ્યો છે. જ્યારે કુલ 8,08,418 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4427 પર પહોંચી છે. જેમાં 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 4376 દર્દીઓની હાલત સ્થિર છે. અને કુલ 10,042 દર્દીઓનાં મોત નિપજ્યા છે.

જિલ્લાવાર આંકડા જોઈએ તો અમદાવાદમાં 26 કેસ, 1 દર્દીનું મોત, સુરતમાં કોરોનાના 26 કેસ, વડોદરામાં 15 કેસ નોંધાયા, રાજકોટમાં 14, જામનગરમાં 4, જૂનાગઢમાં 5 કેસ, ગાંધીનગરમાં 1, ગીરસોમનાથ અને ખેડામાં 5 – 5 કેસ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો