ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 958 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,38,205 થયો

ગુજરાતમાં આજે કોરોના (Gujarat Corona Update)નાં વધુ 958 કેસ નોંધાયા છે. જ્યારે 6 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આજે 1309 દર્દીઓ સાજા થયા હતા. ગુજરાતમાં કોરોના (Covid 19)નાં કુલ 2,38,205 કેસ થઈ ચૂક્યા છે. જ્યારે 4254 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે કુલ 2,22,911 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 958 કેસમાંથી અમદાવાદમાં 202 કેસ, 4નાં મોત, સુરતમાં 157 કેસ, 2નાં મોત, રાજકોટમાં 126 અને વડોદરામાં 128 કેસ, ગાંધીનગરમાં 34 અને જામનગરમાં 18 કેસ, જૂનાગઢમાં 19 અને ભાવનગરમાં 15 કેસ, ખેડામાં 33, મહેસાણામાં 31, કચ્છમાં 24 કેસ, દાહોદમાં 23, સાબરકાંઠામાં 17, સુરેન્દ્રનગરમાં 16 કેસ, બનાસકાંઠા – મોરબીમાં 15 – 15, અમરેલીમાં 11 કેસ, પંચમહાલમાં 10 અને ગીર સોમનાથમાં 6 કેસ, ભરૂચ, મહિસાગર, નર્મદા, પાટણમાં 9 – 9 કેસ, આણંદમાં 7, બોટાદ – દ્વારકામાં 3 – 3 કેસ, અરવલ્લી, છોટાઉદેપુર, પોરબંદરમાં 2 – 2 કેસ, નવસારી, તાપી, વલસાડમાં 1 – 1 કેસ, ભાવનગરમાં 1 કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કોરોનાનાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11,040 છે. જેમાંથી 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 10977 દર્દીઓની હાલત સ્ટેબલ છે. આજે રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4 અને સુરત કોર્પોરેશનમાં 2 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો