ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1136 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,64,121 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 77 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 17 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,136 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 14,143 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટનો આંકડો 55 લાખને પાર થઇ ચૂક્યો છે.

આજે 1,201 દર્દીઓ સાજા થયા અને 7 દર્દીઓના મોત થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,136 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,64,121 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 89.15 ટકા થયો છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ 815 ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 52,923 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 55,85,445 પર પહોંચ્યો છે.

આજે 1,201 દર્દીઓ થયાં સાજા

આજે 1,201 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,46,308 પર પહોંચ્યો છે. આજે 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,670 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 14,143 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

આ 4 જિલ્લામાં કુલ 7 દર્દીઓના મોત

આજે કોરોના વાયરસે 7 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 1, છોટા ઉદેપુરમાં 1 અને રાજકોટમાં પણ 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.

જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સુરતમાં આજે 231 નવા કોરોના કેસ નોંધાયા. જ્યારે એક દર્દીનું મોત થયું છે. આ સિવાય અમદાવાદમાં 179 નવા કેસ અને 3 દર્દીઓનું મોત નીપજ્યું છે. વડોદરાની વાત કરીએ તો 119 નવા કેસ જ્યારે રાજકોટમાં 108 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 2 દર્દીઓનું મોત થયું છે. જામનગરમાં 65 અને ગાંધીનગરમાં 38 નવા કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢમાં 20, ભાવનગરમાં 17, મહેસાણામાં 47 અને નર્મદામાં 34 નવા કેસ નોંધાયા છે. માહિતી મુજબ સાબરકાંઠામાં 33 નવા કેસ, પાટણમાં 27 કેસ, સુરેન્દ્રનગરમાં 26 અને અમરેલીમાં 25 નવા કેસ નોંધાયા છે.

કચ્છની વાત કરીએ તો 22 નવા કોરોના કેસ, ભરૂચમાં 19 કેસ, બનાસકાંઠા અને ગીર સોમનાથમાં 17-17 કેસ સામે આવ્યા છે. જ્યારે પંચમહાલમાં 17, ખેડામાં 11 કેસ, મોરબીમાં 11 અને આણંદમાં 9 કેસ, દાહોદમાં 7 અને દેવભૂમિ દ્વારકામાં 6 નવા કેસ, મહિસાગરમાં 6 અને અરવલ્લીમાં 5 નવા કેસ નોંધાયા છે. જ્યારે પોરબંદરમાં 5 અને છોટા ઉદેયપુરમાં 4 કોરોના કેસ આવ્યા છે. છોટા ઉદેયપુરમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. તાપી જિલ્લાની વાત કરીએ તો 4 અને નવસારીમાં 3 કેસ, વલસાડમાં 2, બોટાદ અને ડાંગમાં 1-1 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો