ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12,553 કેસો નોંધાયા, 125 લોકોના કોરોનાથી મોત, 4,802 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં સતત કોરોનાને હાહાકાર મચાવ્યો હતો. અને દિવસે ને દિવસે કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા હતા. અને દૈનિક 1000ની ગતિએથી કોરોનાનાં કેસો વધતાં હતા. તેવામાં આજે રાજ્યમાં 300ના વધારા સાથે નવા કેસો નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાનાં 12553 કેસો નોંધાયા હતા. જ્યારે 125 દર્દીનાં મોત નિપજ્યા હતા. અને 4802 દર્દીઓ સાજા થયા હતા. ગત રોજ રાજ્યમાં કોરોનાનાં 12,206 કેસો નોંધાયા હતા. આમ દૈનિક 1000ની ગતિએ વધતાં કોરોનાની ગતિમાં મામૂલી ઘટાડો આવ્યો છે. જ્યારે રસીકરણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે માત્ર 1,25,942 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

હાલ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 4,21,155 પર પહોંચ્યો છે. જ્યારે 5740 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અને અત્યાર સુધી કુલ 3,50,865 વ્યક્તિઓએ કોરોનાને માત આપી છે. આ ઉપરાંત રાજ્ય માટે વધુ એક ચિંતાજનક વાત એ છે કે રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. આજે રાજ્યનો રિકવરી રેટ 79.61 ટકા પર પહોંચ્યો છે.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને 83765 દર્દીઓની હાલત સ્થિર છે. આજે અમદાવાદ શહેરમાં 22, સુરત શહેરમાં 25, મહેસાણામાં 3, સુરત જિલ્લામાં 3, વડોદરા શહેરમાં 7, રાજકોટ શહેરમાં 8, જામનગર શહેરમાં 4, વડોદરામાં 5, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 3, જામનગરમાં 4, પાટણમાં 2, ગાંધીનગર શહેરમાં 1, ભાવનગર શહેરમાં 3, રાજકોટમાં 4, ખેડામાં 1, સાબરકાંઠામાં 3, ભાવનગરમાં 3, ગાંધીનગર 2, જૂનાગઢ 1, અમદાવાદમાં 1, વલસાડમાં 1, સુરેન્દ્રનગર 3, મોરબી 3, મહીસાગર 2, અરવલ્લી 1, પોરબંદર 1, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 3, છોટા ઉદેપુરમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે.

જિલ્લાવાર આંકડા જોઈએ તો, સુરતમાં નવા 2340 કેસ, 25નાં મોત, વડોદરામાં 731 કેસ, 13નાં મોત, રાજકોટમાં નવા 516 કેસ, 12નાં મોત, જામનગરમાં 509 કેસ, 8નાં મોત, ગાંધીનગરમાં 281 કેસ, 3નાં મોત, ભાવનગરમાં 260 કેસ, 6નાં મોત, જૂનાગઢમાં 188 કેસ, એકનું મોત, મહેસાણામાં 495, બનાસકાંઠામાં 227, ભરૂચમાં 206 કેસ, કચ્છમાં 200, પાટણમાં 185, તાપીમાં 135 કેસ, ખેડામાં 117, દાહોદમાં 115, સાબરકાંઠામાં 112 કેસ, નર્મદામાં 110, અમરેલીમાં 98, નવસારીમાં 93 કેસ, પંચમહાલમાં 93, વલસાડમાં 82, સુરેન્દ્રનગરમાં 80 કેસ, આણંદમાં 72, મોરબીમાં 70, મહિસાગરમાં 62 કેસ, ગીર સોમનાથમાં 61, અરવલ્લીમાં 59, પોરબંદરમાં 42 કેસ, બોટાદમાં 31, ડાંગ – દ્વારકા 28 – 28, છોટાઉદેપુરમાં 21 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કુલ 90, 93, 538 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 16, 22, 998 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો