ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 4773 કેસો નોંધાયા, 64 લોકોના કોરોનાથી મોત, 8308 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના કેસોમાં દિવસે ને દિવસે ઘટાડો નોંધાતો જાય છે. આજે રાજ્યમાં કોરોનાનાં નવા 4773 કેસો નોંધાયા હતા. જ્યારે 64 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. અને 8308 વ્યક્તિઓએ કોરોનાને માત આપી સાજા થયા હતા. જ્યારે રસીકરણમાં આજે વધારો થયો છે. આજે રાજ્યમાં 1,37,172 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 7.76,220 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 6,67,798 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 9404 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોનો આંક 89018 પર પહોંચ્યો છે. જેમાંથી 716 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો 88302 દર્દીઓની હાલત સ્થિર છે.

આ ઉપરાંત રાહતના સમાચાર એ છે કે અમદાવાદ, સુરત સહિતનાં શહેરોમાં કોરોનાનાં સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. આજના જિલ્લાવાર આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં નવા 1106 કેસ, 9નાં મોત, વડોદરામાં નવા 584 કેસ, 6નાં મોત, સુરતમાં નવા 506 કેસ, 8નાં મોત, રાજકોટમાં નવા 264 કેસ, 6નાં મોત, જામનગરમાં નવા 203 કેસ, 5નાં મોત, જૂનાગઢમાં નવા 218 કેસ, 4નાં મોત, ગાંધીનગરમાં નવા 109 કેસ, એકનું મોત, ભાવનગરમાં નવા 110 કેસ, 2નાં મોત, આણંદમાં 161, ભરૂચમાં 138, કચ્છમાં 134 કેસ, પંચમહાલમાં 126, સાબરકાંઠામાં 105, મહેસાણામાં 97 કેસ, દાહોદમાં 91, ખેડામાં 88, મહિસાગરમાં 85 કેસ, પોરબંદરમાં 82, દ્વારકામાં 69, બનાસકાંઠામાં 65 કેસ, અમરેલીમાં 63, પાટણમાં 59, નવસારીમાં 54 કેસ, વલસાડમાં 52, નર્મદામાં 43, ગીર સોમનાથમાં 34 કેસ, સુરેન્દ્રનગરમાં 32, અરવલ્લી – છોટાઉદેપુરમાં 28 – 28 કેસ, મોરબીમાં 13, તાપીમાં 10, બોટાદ – ડાંગમાં 8 – 8 કેસ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો