ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 490 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 257,342 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારી (Corona Epidemic)ના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ (Vaccination) થઇ રહ્યું છે. અને ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ ઘટી રહ્યો છે. એટલે કે હવે કોરોનાનો ખાત્મો બે બાજુથી થઇ રહ્યો છે. આજે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કોરોના મહામારીના આંકડો 500થી પણ ઓછો નોઁધાયા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 490 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 490 Corona Positive Case In Gujarat). જ્યારે રાજ્યમાં વધુ 2 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4371 એ પહોંચ્યો છે. જ્યારે 707 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.07 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્ય સરકાર દ્વારા કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેની આરોગ્ય વિભાગે જાણકારી આપી નથી. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 4,69,999 છે, જે પૈકી 4,69,893 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 106 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 102, સુરત કોર્પોરેશન 81, વડોદરા કોર્પોરેશન 71, રાજકોટ કોર્પોરેશન 53, વડોદરા 23, સુરત 17, કચ્છ 14, રાજકોટ 12, ભાવનગર કોર્પોરેશન 10, મહેસાણા 10, ગાંધીનગર 8, દાહોદ 7, ગીર સોમનાથ 7, જૂનાગઢ કોર્પોરેશન 7, ગાંધીનગર કોર્પોરેશન 6, સાબરકાંઠા 6, ભરૂચ 5, ખેડા 5, આણંદ 4, જામનગર 4, જામનગર કોર્પોરેશન 4, જૂનાગઢ 4, અમદાવાદ 3, દેવભૂમિ દ્વારકા 3, મોરબી 3, પંચમહાલ 3, પાટણ 3, અમરેલી 2, બનાસકાંઠા 2, ભાવનગર 2, મહીસાગર 2, નર્મદા 2, અરવલ્લી 1, બોટાદ 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કોવિડ-19ના કારણે દમ તોડનાર દર્દીઓની સંખ્યા બેં નોંધાઇ છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 2 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. આ બંન્ને મોત અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 2 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4371 પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,47,223 નાગરીકો સાજા થઈ ગયા છે. 4371ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 5748 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 51 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 5697 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો