ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1512 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,12,769 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા. તેમા આજે ગઇ કાલે સામાન્ય ઘટાડો થયો હતો પરંતુ આજે ફરીથી 1500થી વધુ કેસ આવ્યા છે.

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે ફરી વધારો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1512 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1512 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,12,769એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 14 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4018એ પહોંચ્યો છે. જ્યારે 1570 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 91.15 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,186 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 302, સુરત કોર્પોરેશન 204, વડોદરા કોર્પોરેશન 135, રાજકોટ કોર્પોરેશન 108, મહેસાણા 74, સુરત 48, રાજકોટ 45, બનાસકાંઠા 44, ખેડા 42, વડોદરા 41, ગાંધીનગર 38, દાહોદ 35, જામનગર કોર્પોરેશન 33, કચ્છ 28, પાટણ 28, મોરબી 27, ભરૂચ 26, ગાંધીનગર કોર્પોરેશન 24, અમદાવાદ 23, પંચમહાલ 22, અમરેલી 20, નવસારી 18, સાબરકાંઠા 18, નર્મદા 14, ભાવનગર કોર્પોરેશન 13, જામનગર 12, આણંદ 11, જુનાગઢ 11, જુનાગઢ કોર્પોરેશન 11, મહીસાગર 11, અરવલ્લી 10, ગીર સોમનાથ 8, ભાવનગર 5, સુરેન્દ્રનગર 5, વલસાડ 5, બોટાદ 3, છોટા ઉદેપુર 3, દેવભૂમિ દ્વારકા 3, પોરબંદર 2, તાપી 2 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો થોડો ઘટ્યો છે. આજે રાજ્યમાં 14 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 8 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, રાજકોટ કોર્પોરેશન 1, સાબરકાંઠા 1, સુરત 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4018એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,93,938 નાગરીકો સાજા થઈ ગયા છે. 4018ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,813 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 93 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,720 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો