ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 5246 કેસો નોંધાયા, 71 લોકોના કોરોનાથી મોત, 9001 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં આજે કોરોનાનાં કેસમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આજે રાજ્યમાં કોરોનાનાં વધુ 5246 કેસો નોંધાયા હતા. આ ઉપરાંત 71 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જેની સામે 9001 દર્દીઓને કોરોનાને માત આપી સાજા થયા હતા. રાજ્યમાં કોરોના કેસોનો રિકવરી રેટ વધીને 86.78 ટકા પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 7,71,447 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી 6,69,490 લોકોએ કોરોનાને માત આપી છે. જ્યારે 9340 વ્યક્તિઓએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 92617 પર પહોંચી છે. જેમાંથી 742 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને 91875 દર્દીઓની હાલત સ્થિર છે.

આજે જિલ્લાવાર કેસો પર નજર કરીએ તો, અમદાવાદમાં નવા 1324 કેસ, 11નાં મોત, સુરતમાં નવા 390 કેસ, 8નાં મોત, રાજકોટમાં નવા 307 કેસ, 6નાં મોત, વડોદરામાં નવા 641 કેસ, 6નાં મોત, ગાંધીનગરમાં નવા 112 કેસ, 3નાં મોત, જામનગરમાં નવા 213 કેસ, 5નાં મોત, ભાવનગરમાં નવા 77 કેસ, 2નાં મોત, જૂનાગઢમાં નવા 293 કેસ, 7નાં મોત, પંચમહાલમાં 158, આણંદમાં 149, અમરેલીમાં 136 કેસ, સાબરકાંઠામાં 133, ગીર સોમનાથમાં 130, દાહોદમાં 109 કેસ, પોરબંદરમાં 108, કચ્છમાં 104, ખેડામાં 99 કેસ, ભરૂચમાં 98, મહેસાણામાં 78, બનાસકાંઠામાં 77 કેસ, પાટણમાં 77, વલસાડમાં 66, નર્મદામાં 60 કેસ, નવસારીમાં 59, દ્વારકામાં 58, મહિસાગરમાં 50 કેસ, અરવલ્લીમાં 42, છોટાઉદેપુરમાં 29, સુરેન્દ્રનગરમાં 25 કેસ, મોરબીમાં 20, તાપીમાં 16, બોટાદમાં 6, ડાંગમાં 2 કેસ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો