ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 485 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 256,852 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારી (Corona Epidemic)ના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ (Vaccination) થઇ રહ્યું છે. અને ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ ઘટી રહ્યો છે. એટલે કે હવે કોરોનાનો ખાત્મો બે બાજુથી થઇ રહ્યો છે. આજે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કોરોના મહામારીના આંકડામાં ખુબ જ મોટો ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 485 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 485 Corona Positive Case In Gujarat). જ્યારે રાજ્યમાં વધુ 2 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4369 એ પહોંચ્યો છે. જ્યારે 709 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 95.98 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્ય સરકાર દ્વારા કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેની આરોગ્ય વિભાગે જાણકારી આપી નથી. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 4,67,612 છે, જે પૈકી 4,67,483 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 129 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 99, સુરત કોર્પોરેશન 84, વડોદરા કોર્પોરેશન 72, રાજકોટ કોર્પોરેશન 51, વડોદરા 23, મહેસાણા 14, રાજકોટ 14, કચ્છ 11, જામનગર કોર્પોરેશન 10, ગાંધીનગર 9, જામનગર 9, ખેડા 8, સુરત 8, દાહોદ 7, ભાવનગર કોર્પોરેશન 6, આણંદ 5, ભરૂચ 5, ગાંધીનગર કોર્પોરેશન 5, જૂનાગઢ 5, સાબરકાંઠા 5, અમદાવાદ 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મોરબી 4, નર્મદા 4, પંચમહાલ 4, અમરેલી 2, ગીર સોમનાથ 2, પાટણ 2, પોરબંદર 2, સુરેન્દ્રનગર 2, તાપી 2, દેવભૂમિ દ્વારકા 1, મહીસાગર 1, નવસારી 1 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હવે તો રાજ્યમાં મૃત્યુઆંક સિંગલ આંકડામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 2 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. આ બંન્ને મોત અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 2 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4369 પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,46,516 નાગરીકો સાજા થઈ ગયા છે. 4369ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 5967 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 52 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 5915 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો