ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 6447 કેસો નોંધાયા, 67 લોકોના કોરોનાથી મોત, 9557 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં એકબાજુ તાઉ તે વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. તેવામાં રાજ્યમાં કોરોનાને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે મોતનાં આંકડામાં ઘટાડો નોંધાયો છે. તો આજે કોરોના કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં 6447 કેસ નોંધાયા હતા. અને 67 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 9557 દર્દીઓ સાજા થયા હતા.

રાજ્યમાં રિકવરી રેટ વધીને 86.20 ટકા પર પહોંચ્યો છે. કુલ કેસોની સંખ્યા 7,66,201 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 6, 60, 489 દર્દી સાજા થયા છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 96443 પર પહોંચ્યો છે. જેમાંથી 755 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 95688 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 9269 દર્દીઓનાં મોત નિપજ્યા છે.

જિલ્લાવાર આંકડા જોઈએ તો, અમદાવાદમાં નવા 1895 કેસ, 12નાં મોત નિપજ્યા છે. તો વડોદરામાં નવા 639 કેસ, 4નાં મોત, સુરતમાં નવા 466 કેસ, 11નાં મોત, જૂનાગઢમાં નવા 341 કેસ, 3નાં મોત, રાજકોટમાં નવા 290 કેસ, 7નાં મોત, જામનગરમાં નવા 244 કેસ, 7નાં મોત, ભાવનગરમાં નવા 152 કેસ, 3નાં મોત, ગાંધીનગરમાં નવા 143 કેસ, 2નાં મોત, આણંદમાં 214, અમરેલીમાં 186, મહેસાણામાં 184 કેસ, સાબરકાંઠામાં 182, પંચમહાલમાં 168, ખેડામાં 142 કેસ, ભરૂચમાં 141, પોરબંદરમાં 108, કચ્છમાં 97 કેસ, પાટણમાં 96, અરવલ્લીમાં 93, ગીર સોમનાથમાં 82 કેસ, દાહોદ – મહિસાગરમાં 80 – 80 , વલસાડમાં 79 કેસ, બનાસકાંઠામાં 73, નવસારીમાં 69, નર્મદામાં 52 કેસ, સુરેન્દ્રનગરમાં 36, છોટા ઉદેપુરમાં 33, દ્વારકામાં 24 કેસ, મોરબીમાં 23, તાપીમાં 19, ડાગમાં 10, બોટાદમાં 6 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો