ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 37 કેસો નોંધાયા, એક દર્દીનું મોત થયુ, 110 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 37 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.71 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 110 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે સુરતમાં કોરોનાથી એક દર્દીનું મોત થયુ છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,075 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 110 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,13,853 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 532 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 06 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 37 કેસ નોંધાયા છે ત્યાં જ સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશન 6, સુરત કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 4, મહેસાણા 3, સાબરકાંઠા 2, સુરેન્દ્રનગર 2, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન, સુરત, વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 532 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 06 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 526 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.71% એ આવી ગયો છે. આજે 3,13,740 લાખ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો