ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1115 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,32,118 થયો

ગુજરાતમાં હવે ધીમે ધીમે કોરોનાનાં (Gujarat Corona) કેસો ઘટવાનુ શરૂ થયુ છે. દિવાળી પહેલાં રાજ્યમાં 1000થી પણ ઓછા કેસ નોંધાતા હતા. અને દિવાળી બાદ તેમાં એકાએક ઉછાળો આવ્યો હતો. જો કે હવે રાજ્યમાં કોરોનાનાં કેસો (Covid 19)ઘટવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં (Gujarat Corona Update)નવા 1115 કેસ નોંધાયા છે, જ્યારે 8 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 1305 દર્દીઓ સાજા થયા છે.

આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 2,32,118 પર પહોંચ્યો છે. અને કુલ 2,15,528 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યનો રિકવરી રેટ 92.82 ટકા થયો છે. અને રાજ્યમાં કોરોનાને કારણે 4211 દર્દીઓનાં મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3 અને બોટાદમાં 1 એમ કુલ 8 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યું હતું.

રાજ્યમાં જિલ્લાવાર આંકડા જોઈએ તો આજે અમદાવાદમાં 232 કેસ, 4નાં મોત, સુરતમાં નવા 169 કેસ, 3નાં મોત, વડોદરામાં 144 અને રાજકોટમાં 129 કેસ, જામનગરમાં 33 અને ભાવનગરમાં 27 કેસ, ગાંધીનગરમાં 49 અને જૂનાગઢમાં 23 કેસ, મહેસાણામાં 50, પંચમહાલમાં 30, કચ્છમાં 23 કેસ, ભરૂચમાં 22 અને બનાસકાંઠામાં 18 કેસ, ખેડા, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 19 – 19 કેસ, દાહોદમાં 16, પાટણમાં 13, આણંદમાં 12 કેસ, મહિસાગરમાં 11, ગીર સોમનાથ – મોરબીમાં 10 – 10 કેસ, નર્મદામાં 9, અમરેલીમાં 7, અરવલ્લીમાં 5 કેસ, દ્વારકામાં 4, નવસારીમાં 2, પોરબંદરમાં 1 કેસ, બોટાદ, છોટા ઉદેપુર, તાપીમાં 3 – 3 કેસ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો