ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,541 કેસો નોંધાયા, 97 લોકોના કોરોનાથી મોત, 3,783 દર્દીઓ સ્વસ્થ થયાં

હાલમાં માતેલા સાંઢની માફક કોરોના ગુજરાતમાં વધી રહ્યો છે. લોકોનો મોત પણ સરકાર તેમજ ગુજરાતની 6 કરોડ જનતા માટે ચિંતાનો વિષય છે. કોરોનાએ હવે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ભયકંર વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે મોતનું પ્રમાણ પણ વધ્યું છે, ત્યારે આજે શનિવારના રાજ્યમાં કોરોનાના વધુ 9541 કેસ સામે આવ્યા છે, જેની સામે 3783 દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાના કારણે રાજ્યમાં 97 લોકોના મોત થયા છે. જો કે આંકડાઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે કોરોનાના કેસોની સામે દર્દીઓના સાજા થવાનું આંકડો ઓછો છે. કોરોનાના કારણે દવાખાનાઓ-હૉસ્પિટલોમાં ગંભીર પરિસ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં વેઈટિંગના પાટિયા લાગેલા છે અને લોકોમાં પણ ફફટાડ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 9541 કેસ નોંધાયા છે. તો આજે વધુ 97 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 5267 દર્દીઓના મોત થયા છે. અને સારી વાત એ છે કે આજે વધુ 3783 દર્દીઓ સાજા થયા છે. કુલ વાત કરીએ તો અત્યાર સુધીમાં 3, 33, 564 દર્દીઓ સાજા થયા છે. જો જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદમાં 3303 કેસ, 25નાં મોત. સુરતમાં નવા 2155 કેસ, 26નાં મોત. રાજકોટમાં 494 અને વડોદરામાં 579 કેસ નોંધાયા. જામનગરમાં 318 અને ભાવનગરમાં 195 કેસ. ગાંધીનગરમાં 147 અને જૂનાગઢમાં 128 કેસ નોંધાયા.

આગળ વાત કરીએ તો મહેસાણામાં 262, ભરૂચમાં 235, બનાસકાંઠામાં 178 કેસ નોંધાયા. નવસારીમાં 148, પાટણમાં 147, પંચમહાલમાં 107 કેસ. તાપીમાં 98, નર્મદામાં 97, અમરેલીમાં 96 કેસ નોંધાયા. કચ્છમાં 92, સુરેન્દ્રનગરમાં 89, મહિસાગરમાં 81 કેસ. ખેડામાં 79, સાબરકાંઠામાં 75, આણંદમાં 71 કેસ તો દ્વારકામાં 71, દાહોદમાં 53, મોરબીમાં 50 કેસ. વલસાડમાં 48, ગીર સોમનાથમાં 39, બોટાદમાં 26 કેસ. છોટાઉદેપુરમાં 32 અને અરવલ્લીમાં 26 કેસ નોંધાયા. પોરબંદરમાં 14 અને ડાંગમાં 8 કેસ નોઁંધાયા છે. જો રસીકરણ વિશે વાત કરીએ તો 88, 08, 994 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તો 13, 61, 550 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે.

મેટ્રો શહેર સિવાય આ પાંચ જિલ્લાઓએ ચિંતા વધારી

હવે જ્યારે કોરોના મેટ્રો શહેરને વટાવીને નાના ગામ અને તાલુકા સુધી પહોંચી ગયો છે ત્યારે અમદાવાદ અને સુરત સિવાયના અન્ય 5 એવા જિલ્લાઓ છે જેમણે ચિંતા વધારી છે. જેમાં ખાસ કરીને મહેસાણામાં 262, ભરૂચમાં 235, જામનગરમાં 194, બનાસકાંઠામાં 176 અને નવસારીમાં 148 કેસ નોંધાયા હતાં. જેના કારણે હવે જિલ્લાઓમાં પણ ચિંતા વધી છે. પાટણમાં પણ દિવસેને દિવસે હાલત ખરાબ થઈ રહી છે. પાટણ જિલ્લામાં આજે 147 કેસ નોંધાયા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો