ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 39 કેસો નોંધાયા, આજે એક પણ મોત નહીં, 70 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 39 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.70 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 70 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,074 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 70 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,13,743 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 606 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 07 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 39 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશન 7, વડોદરા કોર્પોરેશન 6, અમદાવાદ કોર્પોરેશન 5, અમરેલી 2, આણંદ 2, દાહોદ 2, ગાંધીનગર 2, નવસારી 2, સુરત 2, ભરૂચ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, પાટણ 1, વડોદરા 1, વલસાડ 1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 606 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 07 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 59 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.70% એ આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો