ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1160 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,31,073 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો હતો જે એક સારી વાત છે. પરંતુ આજે ગઇ કાલ કરતા કોરોનાનાં કેસમાં 50 અંકનો વધારો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1160 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1160 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,31,073એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 10 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4203એ પહોંચ્યો છે. જ્યારે 1384 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 92.71 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 54,864 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 230, સુરત કોર્પોરેશન 143, વડોદરા કોર્પોરેશન 107, રાજકોટ કોર્પોરેશન 104, મહેસાણા 44, વડોદરા 42, બનાસકાંઠા 33, ગાંધીનગર 32, ખેડા 32, પંચમહાલ 31, રાજકોટ 27, સુરત 26, જામનગર કોર્પોરેશન 25, ગાંધીનગર કોર્પોરેશન 21, આણાંદ 20, ભાવનગર કોર્પોરેશન 20, કચ્છ 19, સાબરકાંઠા 19, અમરેલી 18, નર્મદા 16, સુરેન્દ્રનગર 15, દાહોદ 12, જુનાગઢ કોર્પોરેશન 12, મહીસાગર 12, મોરબી 11, ભરૂચ 10, ગીર સોમનાથ 10, પાટણ 10, અમદાવાદ 9, જામનગર 9, દેવભૂમિ દ્વારકા 8, જુનાગઢ 8, અરવલ્લી 5, ભાવનગર 5, નવસારી 5, તાપી 3, વલસાડ 3, પોરબંદર 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા હતા પરંતુ હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 10 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 5 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, અમરેલી 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4203એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,14,223 નાગરીકો સાજા થઈ ગયા છે. 4203ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,647 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 67 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,580 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો