ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 900થી વધુ કેસ નોંધાયા, આજે રેકોર્ડ 925 કેસ નોંધાયા અને 791 ડિસ્ચાર્જ, કુલ કેસનો આંકડો 44 હજારને પાર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 925 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 44,648 પર‬ પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 791 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 31,346 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 10 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2,081 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ ગઇકાલે(13 જુલાઇ)ના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો 14 જુલાઇના રોજ 915 કેસ નોંધાયા હતા અને આજે 15 જુલાઇના રોજ 925 કેસ નોઁધાયા છે. આમ દિવસેને દિવસે કોરોનાને લઇને ચિંતા વધી રહી છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 236 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 173 અને સુરત જિલ્લામાં 63 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8,642 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 223 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5,538 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 230 દર્દીના મૃત્યુ થયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 173 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 159 અને અમદાવાદ જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23,599 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 212 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 18,335 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 2 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1529 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3735 એક્ટિવ કેસ છે.

અમદાવાદ અને સુરતના એક્ટિવ કેસમાં વધુ તફાવત નહીં

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં હવે કોરોનાએ ભરડો લીધો છે. જો બંન્ને મહાનગરો વચ્ચે એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો બહું વધુ અંતર નથી. અમદાવાદમાં 3735 અને સુરતમાં 2872 કેસ એક્ટિવ છે હાલ.

કોરોના વાયરસના કેસની વિગત

15/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 173
સુરત 236
વડોદરા 77
ગાંધીનગર 30
ભાવનગર 61
બનાસકાંઠા 11
આણંદ 8
રાજકોટ 54
અરવલ્લી 4
મહેસાણા 17
પંચમહાલ 6
બોટાદ 4
મહીસાગર 9
ખેડા 24
પાટણ 9
જામનગર 13
ભરૂચ 14
સાબરકાંઠા 9
ગીર સોમનાથ 10
દાહોદ 12
છોટા ઉદેપુર 0
કચ્છ 14
નર્મદા 6
દેવભૂમિ દ્વારકા 0
વલસાડ 10
નવસારી 8
જૂનાગઢ 43
પોરબંદર 0
સુરેન્દ્રનગર 32
મોરબી 14
તાપી 3
ડાંગ 0
અમરેલી 14
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો