ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 915 કેસ, કુલ દર્દીઓનો આંકડો 43,723 પર‬ પહોંચ્યો અને મૃત્યુઆંક 2,071 પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 915 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 43,723 પર‬ પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2,071 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 749 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 30,555 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 14 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2,071 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

સતત બીજા દિવસે નોંધાયા 900થી વધુ કેસ

મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ ગઇકાલે(13 જુલાઇ)ના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો આજે બીજા દિવસે 915 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 291 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 221 અને સુરત જિલ્લામાં 70 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8,406 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 247 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5,315 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 225 દર્દીના મૃત્યુ થયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 167 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 154 અને અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23,426 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 180 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 18,123 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 3 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1527 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3776 એક્ટિવ કેસ છે.

કોરોના વાયરસના કેસની વિગત

14/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 167
સુરત 291
વડોદરા 76
ગાંધીનગર 26
ભાવનગર 45
બનાસકાંઠા 21
આણંદ 10
રાજકોટ 24
અરવલ્લી 15
મહેસાણા 21
પંચમહાલ 8
બોટાદ 2
મહીસાગર 9
ખેડા 15
પાટણ 9
જામનગર 18
ભરૂચ 28
સાબરકાંઠા 8
ગીર સોમનાથ 7
દાહોદ 19
છોટા ઉદેપુર 3
કચ્છ 7
નર્મદા 4
દેવભૂમિ દ્વારકા 0
વલસાડ 0
નવસારી 10
જૂનાગઢ 25
પોરબંદર 2
સુરેન્દ્રનગર 31
મોરબી 5
તાપી 7
ડાંગ 0
અમરેલી 2
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો