ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11017 કેસો નોંધાયા, 102 લોકોના કોરોનાથી મોત, 15,264 દર્દીઓએ કોરોનાને માત આપી

છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. જોકે આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 27 કેસનો સામાન્ય વધારો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 11017 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 102 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 15,264 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 8731 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 15,264 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 5,78,397 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 127483 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 804 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11017 કેસ નોંધાયા છે સાથે જ આજે છેલ્લા 24 કલાકમાં 102 દર્દીના મોત નિપજ્યા છે. અમદાવાદમાં નવા 2883 કેસ સાથે 17 દર્દીના મોત, સુરતમાં નવા 1045 કેસ સાથે 14 દર્દીના મોત, વડોદરામાં નવા 1148 કેસ સાથે 9 દર્દીના મોત, રાજકોટમાં નવા 621 કેસ સાથે 8 દર્દીના મોત, જામનગરમાં નવા 511 કેસ સાથે 9 દર્દીના મોત, ભાવનગરમાં નવા 436 કેસ સાથે 3 દર્દીના મોત, ગાંધીનગરમાં નવા 265 કેસ સાથે 3 દર્દીના મોત, જૂનાગઢમાં નવા 484 કેસ સાથે 8 દર્દીના મોત, મહેસાણામાં 411, અમરેલીમાં 256, બનાસકાંઠામાં 255 કેસ, પંચમહાલમાં 254, આણંદમાં 199, ભરૂચમાં 197 કેસ, ગીર સોમનાથમાં 193, ખેડા અને કચ્છમાં 175 – 175 કેસ, મહિસાગરમાં 163, પાટણમાં 138, સાબરકાંઠામાં 134 કેસ, દ્વારકામાં 129, અરવલ્લીમાં 125, વલસાડમાં 122 કેસ, દાહોદમાં 114, નવસારીમાં 110, નર્મદામાં 96 કેસ, છોટાઉદેપુરમાં 90, સુરેન્દ્રનગરમાં 77, તાપીમાં 74 કેસ, પોરબંદરમાં 51, મોરબીમાં 49, બાટોદમાં 28, ડાંગમાં 9 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 127483 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 804 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 126697 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 80.94% એ આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો