ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 32 કેસો નોંધાયા, એક દર્દીનું મોત, 161 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.68 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે 50થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 32 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 161 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જોકે, આજે બે દિવસ બાદ ફરી કોરોના વાયરસે એક દર્દીનો ભોગ લીધો છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,074 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 161 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,13,399 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 801 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 07 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 32 કેસ નોંધાયા છે. ત્યાં જ આણંદમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશન 9, સુરત કોર્પોરેશન 3, ભરૂચ, કચ્છ, રાજકોટ કોર્પોરેશન, વડોદરામાં 2-2 કેસ, અમરેલી, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, મહેસાણા, સુરત, વડોદરા કોર્પોરેશન, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 801 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 07 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 794 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.68% એ આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો