ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11592 કેસો નોંધાયા, 117 લોકોના કોરોનાથી મોત, 14,931 દર્દીઓ સ્વસ્થ થયાં

છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા હતા. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહ્યો હોય તેમ સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો હતો. પરંતુ આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 508 કેસનો વધારો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 11592 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 117 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 14,931 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 8511 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 14,931 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 5,47,935 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 136158 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 792 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11592 કેસ નોંધાયા છે સાથે જ આજે છેલ્લા 24 કલાકમાં 117 દર્દીના મોત નિપજ્યા છે. અમદાવાદમાં નવા 3263 કેસ સાથે 20 દર્દીનાં મોત, સુરતમાં નવા 1092 કેસ સાથે 11 દર્દીનાં મોત, વડોદરામાં નવા 1230 કેસ સાથે 12 દર્દીનાં મોત, રાજકોટમાં નવા 572 કેસ સાથે 11 દર્દીનાં મોત, ભાવનગરમાં નવા 338 કેસ સાથે 4 દર્દીનાં મોત, જામનગરમાં નવા 565 કેસ સાથે 14 દર્દીનાં મોત, ગાંધીનગરમાં નવા 269 કેસ સાથે એક દર્દીનાં મોત, જૂનાગઢમાં નવા 514 કેસ સાથે 8 દર્દીનાં મોત, મહેસાણામાં 507, બનાસકાંઠામાં 266, પંચમહાલમાં 254 કેસ, દાહોદમાં 246, કચ્છમાં 244, ગીર સોમનાથમાં 200 કેસ, અમરેલીમાં 183, મહિસાગરમાં 181, ખેડામાં 164 કેસ, આણંદમાં 157, સાબરકાંઠામાં 156, પાટણમાં 151 કેસ, અરવલ્લીમાં 133, વલસાડમાં 123, ભરૂચમાં 115 કેસ, સુરેન્દ્રનગરમાં 113, નવસારીમાં 108, નર્મદામાં 90 કેસ, દ્વારકામાં 87, છોટાઉદેપુરમાં 81, મોરબીમાં 67 કેસ, બોટાદ-પોરબંદરમાં 38-38, તાપીમાં 35, ડાંગમાં 12 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136158 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 792 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 135366 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 79.11% એ આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો