ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 544 કેસો નોંધાયા, 11 લોકોના કોરોનાથી મોત, 1505 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં જાણે કે કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોય તેમ કોરોના કેસોમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં માત્ર 544 કેસો નોંધાયા હતા. જ્યારે 11 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 1505 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે 2,68,485 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોનાની બીજી લહેર નબળી પડતાં રાજ્યનો રિકવરી રેટ વધીને 97.23 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંક 8,15,251 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 9976 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે કુલ 7,96,208 દર્દીઓ સાજા થયા છે.

બીજી લહેરના પીકમાં જ્યાં એક્ટિવ કેસોની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ હતી તેવામાં રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,711 પર પહોંચી ગઈ છે. અને કુલ 316 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને 12395 દર્દીઓની હાલત સ્થિર છે.

અમદાવાદમાં નવા 90 કેસ, 2નાં મોત, વડોદરામાં નવા 98 કેસ, એકનું મોત, સુરતમાં નવા 89 કેસ, 2નાં મોત, જામનગરમાં નવા 22 કેસ, એકનું મોત, રાજકોટમાં 26 અને જૂનાગઢમાં 27 કેસ, ગાંધીનગરમાં 5 અને ભાવનગરમાં 2 કેસ, ગીર સોમનાથમાં 23, ભરૂચમાં 22, નવસારીમાં 15 કેસ, આણંદ – બનાસકાંઠામાં 12 – 12, અરવલ્લીમાં 11 કેસ, પંચમહાલમાં 11, અમરેલી – ખેડા – મહિસાગરમાં 10 – 10 કેસ, કચ્છ – મહેસાણા – વલસાડમાં 9 – 9, પોરબંદરમાં 6 કેસ, દ્વારકા – સાબરકાંઠામાં 4 – 4, દાહોદમાં 3 કેસ, મોરબીમાં 2, બોટાદ – પાટણ – તાપીમાં 1 – 1 કેસ નોંધાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો