ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 875 કેસ નોંધાયા, કુલ ઍક્ટિવ કેસ 10 હજાર નજીક, મૃત્યુઆંક 2024 પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 875 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 40,155 પર‬ પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2024 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 441 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 28,183 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 14 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2024‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ આજે ગુજરાતના સૌથી વધુ કેસ 875 કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા તો રવિવારે 725 કેસ, સોમવારે 735 કેસ, મંગળવારે 778 કેસ, બુધવારે 783 કેસ અને ગુરૂવારે પ્રથમ વખતા 861 કેસ નોંધાયા હતા ત્યારે આજે પ્રથમ વખત 875 કેસ નોંધાયા છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 269 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 202 અને સુરત જિલ્લામાં 67 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 7,307 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 79 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 4,569 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 4 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 209 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 2494 એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 165 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 153 અને અમદાવાદ જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22745 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 161 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,559 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1513 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3673 એક્ટિવ કેસ છે.

અમદાવાદ અને સુરતના એક્ટિવ કેસનો આંકડો નજીક

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ છેલ્લા 1 અઠવાડિયાથી ડાયમંડ નગરી સુરતની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં ઉછોળો નોંધાઇ રહ્યો છે ત્યારે હાલ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 3673 છે તો સુરતમાં 2490 છે. આમ બંન્ને શહેરોના એક્ટિવ કેસ વચ્ચે વધારે અંતર જોવા મળી રહ્યું નથી. તો સમગ્ર રાજ્યમાં હવે માત્ર 9948 જ એક્ટિવ કેસ રહ્યા છે.

કોરોના વાયરસના કેસની વિગત

10/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 165
સુરત 269
વડોદરા 69
ગાંધીનગર 31
ભાવનગર 71
બનાસકાંઠા 14
આણંદ 7
રાજકોટ 39
અરવલ્લી 2
મહેસાણા 21
પંચમહાલ 7
બોટાદ 2
મહીસાગર 0
ખેડા 17
પાટણ 4
જામનગર 23
ભરૂચ 14
સાબરકાંઠા 8
ગીર સોમનાથ 11
દાહોદ 8
છોટા ઉદેપુર 4
કચ્છ 4
નર્મદા 0
દેવભૂમિ દ્વારકા 0
વલસાડ 5
નવસારી 27
જૂનાગઢ 18
પોરબંદર 1
સુરેન્દ્રનગર 23
મોરબી 5
તાપી 3
ડાંગ 0
અમરેલી 3
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો