ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1561 કેસો નોંધાયા, 22 લોકોના કોરોનાથી મોત, 4869 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે, કોરોનાની બીજી લહેરનો અંત થઇ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 1561 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે આજે વધુ 22 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 4869 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9855 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 4869 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 771860 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 29015 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 472 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 29015 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 472 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 28543 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 95.21% એ આવી ગયો છે.

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 256 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 172 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 80 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 172 કેસ, જ્યારે ગ્રામ્યમાં 80 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 86 કેસ અને ગ્રામ્યમાં 42 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત….

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો