ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 84 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 300 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અને મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાનાં કેસો એકી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. તેવામાં આજે રાજ્યમાં કોરોનાનાં 84 કેસો નોંધાયા હતા. જ્યારે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત 300 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યનો રિકવરી રેટ વધીને 98.44 ટકા થયો છે. 

ગુજરાતમાં કોરોનાના નવા 84 કેસ નોંધાયા હતા. આજે વધુ 3 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 10, 062 દર્દીના મોત થયા છે. જ્યારે આજે વધુ 300 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં 8, 10, 751 લોકો સાજા થયા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસોનો આંક 2794 પર પહોંચ્યો છે. જ્યારે 11 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને 2783 દર્દીઓની હાલત સ્થિર છે.

અમદાવાદમાં નવા 18 કેસ, 2નાં મોત, સુરતમાં 16, વડોદરામાં 9, રાજકોટમાં 5 કેસ, જામનગરમાં 4, જૂનાગઢમાં 5, વલસાડમાં 4 કેસ, અમરેલી – આણંદ – મહેસાણા -નવસારીમાં 3 – 3 કેસ, ભરૂચ – દ્વારકા – ગીરસોમનાથ – સાબરકાંઠામાં 2 – 2 કેસ, બનાસકાંઠા – ખેડા – પોરબંદરમાં 1 – 1 કેસ, આજે વધુ 2, 84, 791 લોકોને રસી અપાઈ હતી.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો