ચેન્નઈના ડોક્ટર થિરુથાનિકસલામે કોરોના વાઈરસની દવા શોધી હોવાનો કર્યો દાવો, આ દવા 24 થી 40 કલાકની અંદર અસર બતાવે છે

ચીનમાં ફાટી નીકળેલા ભેદી કોરોના વાઈરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ભારત, અમેરિકા, જાપાન સહિત અનેક દેશોમાં શંકાસ્પદ લોકોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. ચીનમાં 4 હજારથી વધુ લોકો આ વાઈરસથી ચેપિત બન્યા છે. આ વાઈરસની કોઈ દવા શોધાઈ નથી. તેવામાં ચેન્નઈની રત્ન સિદ્ધ હોસ્પિટલ એન્ડ હર્બલ રિસર્ચ સેન્ટરના ડોક્ટર થિરુથાનિકસલામે તેની દવા શોધી હોવાનો દાવો કર્યો છે.

ડોક્ટર થિરુથાનિકસલામના જણાવ્યા અનુસાર, આ દવા અનેક ઔષધિઓનું મિશ્રણ છે. કોરોના વાઈરસની સારવાર કેવી રીતે કરી શકાય તેનાથી લોકો અજાણ છે. અમે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) અને ચીનની સરકારને જણાવવા માગીએ છે કે આ દવા કોરોનાની કન્ડિશનમાં મલ્ટિ ઓર્ગન ફેલ્યોરમાં અસરકારક સાબિત થશે.

દવાની શોધ

આ દવા 24થી 40 કલાકની અંદર અસર બતાવે છે. ડોક્ટર થિરુથાનિકસલામની ટીમે ઓછાં પ્લેટલેટ્સ કાઉન્ટ્સ, લીવર ફેલ્યોર, ઓછી રોગ પ્રતિકારક શક્તિ અને ઓછા વ્હાઈટ બ્લડ સેલ ધરાવતા ડેન્ગ્યુના દર્દીઓની સારવાર આ દવા દ્વારા કરવામાં આવી હતી. તેમાં દર્દીઓ 24-40 કલાકની અંદર સામાન્ય સ્થિતિમાં જોવા મળ્યા હતા.

ડોક્ટર થિરુથાનિકસલામના જણાવ્યા અનુસાર આ દવા કોરોના વાઈરસ માટે પણ અસરકારક સાબિત થશે તેવો તેમને વિશ્વાસ છે.
આ વાઈરસ શું છે તે કેવી રીતે ફેલાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે જાણવા માટે અહીં ક્લિક કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો