રસ્તા પર રઝળતાં નિરાધાર વ્યક્તિઓ અને વિધવા મહિલાઓનો આધાર બન્યાં અલ્પા પટેલ, તેઓએ 300થી વધારે બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરાવવાનું સેવાભાવી કાર્ય કર્યું છે

આઝાદી મેળવવાની લડતમાં લખેલા ભીંત સૂત્રો હજુ મકાનોની દીવાલો ઉપર સાચવી રાખવા પ્રયાસ કરી રહેલ નગર ભાદરણના મૂળ વતની એવા અલ્પાબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી મૃતદેહોના અગ્નિ સંસ્કાર આપવાનું કાર્ય કરે છે તેઓએ 311 મૃતદેહોના અગ્નિ સંસ્કાર કર્યા છે. આણંદ જિલ્લામાં મળી આવતા અજાણી વ્યક્તિઓના મૃતદેહનો પોલીસ કાર્યવાહી બાદ અલ્પાબેને મૃતદેહને સ્વાકારીને પુરી વિધિ અને સન્માન સાથે અંતિમ સંસ્કાર કરે છે એટલું જ નહીં અસ્થિ વિસર્જન પણ સન્માન સાથે કરે છે. આ બધાં જ કાર્ય માં અલ્પાબેન પટેલને સહયોગમાં દાતાઓ અને અન્ય સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે.

અલ્પાબેન પટેલ કહે છે કે ચરોતર ભૂમિની દીકરી હોવાથી અને સવર્ણ સમાજ સાથે જોડાયેલી હોવા છતા આ કામનો મેં સ્વીકાર કર્યો ત્યારે શરૂઆતમાં થોડા ગમા અણગમા વચ્ચે પણ મારું કામ ચાલુ રાખ્યું અને આજે મારુ કામ સર્વ પ્રિય બન્યું છે જિલ્લા ભરની પોલીસ ,સરકારી તંત્ર, રેલવે , સહિત સૌનો સારો સહકાર મળતા બિનવારસી મૃતદેહનો સમયસર યોગ્ય અને સન્માન સહ અંતિમ સંસ્કાર, મહિલાઓને સ્કિલ ડેવલોપમેન્ટની તાલીમ આપી સ્વનિર્ભર બનાવે છે

અલ્પા પટેલે 300 બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરાવવાનું સેવાભાવી કાર્ય કર્યું છે. તેમણે 150 જેટલા રઝળતાં વ્યક્તિઓને આશ્રમમાં આશરો અપાવ્યો છે. તથા 250 નિરાધાર મહિલાઓને સ્વનિર્ભર બનાવી છે. આણંદ જિલ્લામાં જેનું કોઈ નથી, નિરાધાર છે, તેને માટે આધાર અલ્પા પટેલ છે. બિનવારસી મૃતદેહો હોય કે રસ્તા પર રઝળતાં નિરાધાર વ્યક્તિઓ, ત્યકતા હોય કે વિધવા મહિલાઓ, તરછોડાયેલા અસ્થિર મગજના લોકોનો એકમાત્ર સહારો છે. આર્થિક પછાત વર્ગના 27 થી વધુ બાળકોને પોતે ભણાવે છે. નારી રાક્તિકરણ માટેના કાર્યો શરૂ વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે.” મહિલાઓને વ્યવસાયિક તાલીમ આપીને પગભર બનાવે છે. જે મહિલાનો નિરક્ષર હોય તેમને પ્રથમ લખતા વાંચતાં શીખવાડે છે, ત્યારબાદ તેમની રુચિ પ્રમાણે સિવણકામ, ભરતકામ, બ્યુટીપાર્લર, બેકરી, પેઇન્ટિંગ કે અન્ય વ્યવસાયિક તાલીમ આપે છે.

અલ્પા પટેલે વાંચનપ્રેમીઓ માટે પુસ્તક પરબ શરુ કરાવી છે. પુસ્તકાલય ના હોય ત્યાં નાના પાયે પુસ્તકાલય શરૂ કરીને ગ્રામજનોને વાંચન સામગ્રી પૂરી પાડે છે. હાલમાં 15 ગામમાં પુસ્તક પરબ ચલાવવામાં આવે છે તેમજ આણંદ જિલ્લામાં જેલના કેદીઓને પુસ્તકો મફત આપીને જ્ઞાનદીપ ચલાવી રહ્યા છે. બગોદરા પાસે મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા દરેક બાબતની કાળજી રાખવામાં આવે છે. અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં 23500 જેટલાં વૃક્ષો રોપવામાં આવ્યાં છે તેમજ ગામડાઓમાં પીપળવન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો