અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાના મંદિરમાં છે મહાકાય મધપૂડો, વર્ષોથી આવતા ભાવિકોને હજુ સુધી નથી માર્યો ડંખ

ઓલપાડ તાલુકાના ડભારી ગામે અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાજી મંદિર આવેલું છે. આ ધાર્મિક સ્થાનને અહિં લોકો ભાગી વાડી તરીકે પણ ઓળખે છે. દરિયા કિનારાના ખોડિયાર માતાના મંદિર પર ભક્તોને અતૂટ શ્રધ્ધા અને આસ્થા છે. જેનો પુરાવો મંદિરના ગર્ભ ગૃહમાં જતા મુખ્ય દ્વારા પર થયેલો મધપૂડો છે. અહિં આવતા ભાવિકોના કહેવા મુજબ અહિં છેલ્લા ઘણાં વર્ષોથી માતાજીના ગર્ભ ગૃહના મુખ્ય દ્વાર પર કે જ્યાંથી લોકો ઉભા રહી અને પ્રવેશી માતાજીના મંદિરમાં દર્શન કરે છે. ત્યાં મધમાખી મધપૂડો બનાવે છે.દર્શન અર્થે આવતા ભક્તોને આજ સુધી મધ માખી એ ડંખ નથી માર્યો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મધમાખીઓએ જાણે રખવાળી કરી

અહિં આવતા ભાવિકોને મધમાખી કોઈ જ પ્રકારનું નુકસાન નથી પહોંચાડતી. આટલું જ નહીં પણ મધમાખી મંદિરની રખેવાળી પણ કરે છે. રવિવારના રોજ અહિં મોટી સંખ્યામાં માતાજીના ભાવિકો દર્શને આવતાં હોય છે. એમ કહેવાય છે કે મધમાખી જેના પર આવીને બેસે તેને માતાજીના આશિર્વાદ મળ્યા હોવાનું માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો