ઋષિ પંચમી – જાણો ભારતના 7 મહાન ઋષિ વિશે..

આકાશમાં સાત તારાઓનુ એક મંડળ જોવા મળે છે. તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. ઉક્ત મંડળના તારાઓનુ નામ ભારતના મહાન સાત સંતોના આધાર પર જ મુકવામાં આવ્યુ છે. વેદોમાં ઉક્ત મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. દરેક મનવંતરમાં સાત સાત ઋષિ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વૈવસ્તવત મનુના સમયમાં જન્મેલા સાત મહાન ઋષિયોનો ટૂંકો પરિચય

વેદોના રચેતા ઋષિ – ઋગ્વેદમાં લગભગ એક હજાર સૂક્ત છે. લગભગ દસ હજાર મંત્ર છે. ચાર વેદોમાં લગભગ વીસ હજાર છે અને આ મંત્રોના રચેતા કવિઓને આપણે ઋષિ કહીએ છીએ. બાકી ત્રણ વેદોના મંત્રોની જેમ ઋગ્વેદના મંત્રોની રચનામાં પણ અનેક ઋષિઓનુ યોગદાન રહ્યુ છે. પણ તેમા પણ સાત ઋષિયો એવા છે જેમા કુળોમાં મંત્ર રચેતા ઋષિઓની એક લાંબી પરંપરા રહી. આ કુલ પરંપરા ઋગ્વેદના સૂક્ત દસ મંડળોમાં સંગ્રહિત છે અને તેમા બે થી સાત મતલબ છ મંડળ એવા છે જેને આપણે પરંપરાથી વંશમંડળ કહીએ છીએ. કારણ કે તેમા છ ઋષિકુળોના ઋષિઓના મંત્ર એકત્ર કરવામાં આવ્યા છે.

વેદોનો અભ્યાસ કરવા પર જે સાત ઋષિઓ કે ઋષિ કુળના નામ વિશે જાણ થાય છે તે નામ ક્રમશ આ પ્રકારના છે. 1. વશિષ્ઠ 2. વિવિશ્વામિત્ર 3. કળ્વ 4. ભારદ્વાજ 5. અત્રિ 6. વામદેવ અને 7. શૌનક.

પુરાણોમાં સપ્ત ઋષિના નામ પર વિવિધ નામાવલી મળે છે. વિષ્ણુ પુરાણ મુજબ આ મંવન્તરના સપ્તઋષિ આ પ્રકારના છે.

વશિષ્ઠકાશ્યપો યાત્રિર્જમદગ્નિસ્સગૌત.
વિશ્વામિત્રભારદ્વજૌ સપ્ત સપ્તર્ષભવન.

અર્થાત. સાતમા મન્વન્તરમાં સપ્તઋષિ આ પ્રકારના છે. વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભારદ્વાજ.

આ ઉપરાંત પુરાણોની અન્ય નામાવલી આ પ્રકારની છે. – આ ક્રમશ: કેતુ, પુલહ, પુલસ્ત્ય, અત્રિ, અંગિરા, વશિષ્ટ અને મારીચિ છે.

મહાભારતમાં સપ્તર્ષિયોની બે નામાવલિયો મળે છે. એક નામાવલીમાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ નામ આવે છે. તો બીજી નામાવલિમાં પાંચ નામ બદલાય જાય છે. કશ્યપ અને વશિષ્ઠ એ જ રહે છે. પણ બાકીના બદલે મરીચિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ અને ક્રતુ નામ આવી જાય છે. કેટલક પુરાણોમાં કશ્યપ અને મરીચિને એક માનવામાં આવે છે તો કેટલાક કશ્યપ અને કણ્વને પર્યાયવાચી માનવામાં આવે છે. અહી રજુ છે વૈદિક નામાવલિ મુજબ સપ્તઋષિઓનો પરિચય.

1. વશિષ્ઠ – રાજા દશરથના કુળગુરૂ ઋષિ વશિષ્ઠને કોણ નથી જાણતુ. આ દશરથના ચાર પુત્રોના ગુરૂ હતા. વશિષ્ઠના કહેવા પર દશરથે પોતાના ચારેય પુત્રોને ઋષિ વિશ્વામિત્રની સાથે આશ્રમમાં રાક્ષસોનો વધ કરવા માટે મોકલી દીધા હતા. કામઘેનુ ગાય માટે વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે યુદ્ધ પણ થયુ હતુ. વશિષ્ઠએ રાજસત્તા પર અંકુશ પર વિચાર આપ્યો તો તેમના જ કુળના મૈત્રાવરુણ વશિષ્ઠએ સરસ્વતી નદીના કિનારે સૌ સૂક્ત એક સાથે રચીને નવો ઈતિહાસ બનાવ્યો.

2. વિશ્વામિત્ર -ઋષિ થતા પહેલા વિશ્વામિત્ર રાજા હતા અને ઋષિ વશિષ્ઠ પાસેથી કામઘેનુ ગાયને હડપવા માટે તેમણે યુદ્ધ કર્યુ હતુ પણ તેઓ હારી ગયા. આ હાર એ જ તેમને ઘોર તપસ્યા માટે પ્રેરિત કર્યા. વિશ્વામિત્રની તપસ્યા અને મેનકા દ્વારા તેમની તપસ્યા ભંગ કરવાની કથા જગ પ્રસિદ્ધ છે. વિશ્વામિત્રએ પોતાની તપસ્યાના બળ પર ત્રિશંકુને સશરીર સ્વર્ગ મોકલી આપ્યો હતો. આ રીતે ઋષિ વિશ્વામિત્રના અસંખ્ય પ્રસંગો છે.

એવુ કહેવાય છે કે હરિદ્વારમાં આજે જ્યા શાંતિકુંજ છે એ સ્થાન પર વિશ્વામિત્રએ ઘોર તપસ્યા કરીને ઈન્દ્રથી રિસાઈને એક અલગ જ સ્વર્ગ લોકની રચના કરી હતી. વિશ્વામિત્ર એ આ દેશને ઋચા બનાવવાની વિદ્યા આપી અને ગાયત્રી મંત્રની રચના કરી જે ભારતના હ્રદયમાં હજારો વર્ષોથી આજ સુધી અવિરત નિવાસ કરી રહ્યો છે.

3. ગૌતમ. – ન્યાય, તર્ક, રસાયણ, પદાર્થ, પૃથક્કરણ અને તત્ત્વ વગેરેના શોધક; ન્યાયશસ્ત્રના આચાર્ય અને પ્રણેતા, ઇસુથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં થયેલા ગૌતમ સમર્થ બ્રહ્મર્ષિ તરીકે પૂજનીય છે. તેમનો જન્મ બ્રહમાનસપુત્ર અંગિરા ઋષિના દીર્ધતમાને ત્યાં ત્રેતાયુગના આરંભમાં હિમાલય પ્રદેશમાં થયો હતો. તે મહાન તેજસ્વી, તત્ત્વજ્ઞ અને તીવ્ર બુદ્ધિના હતા. લાંબો કાળ તપશ્ચર્યા કરી તેમણે તપસમૃદ્ધિ મેળવી હતી. પોતાની પ્રબળ શક્તિથી સર્વમાં માન પામી સપ્તર્ષિના પંચમાં તેમની નિમણૂક થઈ.

4. ભારદ્વાજ – વૈદિક ઋષિયોમાં ભારદ્વાજ ઋષિનુ ઉચ્ચ સ્થાન છે. ભારદ્વાજના પિતા બૃહસ્પતિ અને માતા મમતા હતી. ભારદ્વાજ ઋષિ રામના પહેલા થયા હતા. પણ એક ઉલ્લેખ મુજબ તેમના લાંબા આયુની જાણ થાય છે કે વનવાસના સમયે શ્રીરામ તેમના આશ્રમમાં ગયા હતા. જે ઐતિહાસિક દ્રષ્ટિથી ત્રેતા-દ્વાપરનો સંધિકાળ હતો. એવુ કહેવાય છે કે ભારદ્વાજોમાંથી એક ભારદ્વાજ વિદથે દુષ્યન્તના પુત્ર ભરતના ઉત્તરાધિકારી બની રાજકાજ કરતી વખતે મંત્ર રચના ચાલુ રાખી.

ઋષિ ભારદ્વાજના પુત્રોમાં 10 ઋષિ ઋગ્વેદના મન્ત્રદ્રષ્ટા છે અને કે પુત્રી જેનુ નામ રાત્રિ હતુ તે પણ રાત્રિ સૂક્તની મન્ત્રદ્રષ્ટા માનવામાં આવી છે. ઋગ્વેદના છઠ્ઠા મંડળના દ્રષ્ટા ભારદ્વાજ ઋષિ છે. આ મંડળમાં ભારદ્વાજના 765 મંત્ર છે. અથર્વવેદમાં પણ ભારદ્વાજના 23 મંત્ર મળે છે. ભારદ્વાજ સ્મૃતિ અને ભારદ્વાજ સંહિતાના રચનાકાર પણ ઋષિ ભારદ્વાજ જ હતા. ઋશિ ભારદ્વાજે યન્ત્ર-સર્વસ્ત નામક બૃહદ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથનો કેટલોક ભાગ સ્વામી બ્રહ્મમુનિએ વિમાન શાસ્ત્રના નામથી પ્રકાશિત કરાવ્યો છે.  આ ગ્રંથમાં ઉચ્ચ અને નિમ્ન સ્તર પર વિચરનારા વિમાનો માટે વિવિધ ધાતુઓના નિર્માણનુ વર્ણન મળે છે.

5. અત્રિ – ઋગ્વેદના પંચમ મંડળના દ્રષ્ટા મહર્ષિ અત્રિ બ્રહ્માના પુત્ર, સોમના પિતા અને કર્દમ પ્રજાપતિ અને દેવહૂતિની પુત્રી અનુસૂયાના પતિ હતા. અત્રિ જ્યારે બહાર ગયા હતા ત્યાર ત્રિદેવ અનસૂયાના ઘરે બ્રાહ્મણના વેશમાં ભિક્ષા માંગવા લાગ્યા અને અનુસૂયાને કહ્યુ કે જયારે તમે તમારા સંપૂર્ણ વસ્ત્ર ઉતારી દેશો ત્યારે જ અમે ભિક્ષા સ્વીકાર કરીશુ. ત્યારે અનુસૂયાએ પોતાના સતિત્વના બળ પર ઉક્ત ત્રણેય દેવોને અબોધ બાળક બનાવીને તેમને ભિક્ષા આપી. માતા અનુસૂયાએ દેવી સીતાને પતિવ્રતનો ઉપદેશ આપ્યો હતો.

અત્રિ ઋષિએ આ દેશમાં કૃષિના વિકાસમા પૃથુ અને ઋષભની જેમ યોગદાન આપ્યુ હતુ. અત્રિ લોકો જ સિન્ધુ પાર કરીને પારસ (આજનુ ઈરાન) ચાલ્યા ગયા હતા. જ્યા તેમણે યજ્ઞનો પ્રચાર કર્યો. અત્રિઓને કારણે જ અગ્નિપૂજકોના ધર્મ પારસી ધર્મનો સૂત્રપાત થયો. અત્રિ ઋષિનો આશ્રમ ચિત્રકૂટમાં હતો. માન્યતા છે કે અત્રિ-દમ્પતિની તપસ્યા અને ત્રિદેવોની પ્રસન્નતાના ફળસ્વરૂપ વિષ્ણુના અંશથી મહાયોગી દત્તાત્રેય, બ્રહ્માના અંશથી ચંદ્રમા અને શંકરના અંશથી મહામુનિ દુર્વાસા મહર્ષિ અત્રિ અને દેવી અનુસૂયાના પુત્ર રૂપમાં જન્મ્યા. ઋષિ અત્રિ પર અશ્વિનીકુમારોની પણ કૃપા હતી.

6. કશ્યપ – કશ્યપ પ્રાચીન ઋષિ હતા. પુરાણ પ્રમાણે બ્રહ્માનાં દશ પુત્રોમાંના એક મરીચિના તેઓ પુત્ર છે.

સપ્તર્ષિમાના એક, સર્વ ઋષિ મુનિઓમાં શ્રેષ્ઠ મનાતા, સ્મૃતિગ્રંથોના રચેયિતા, પરશુરામના ગુરુ એવા મહાન કશ્યપ ઋષિ મરીચિ ઋષિના પુત્ર હતા. તેમને અરિષ્ટનેમી, મરીચિનો પુત્ર હોવાથી મારીચ અને પ્રાણીસૃષ્ટિનો ઉત્પાદક હોઇ પ્રજાપતિ પણ કહે છે. તેઓ વિવસ્તના પણ પિતા હતા. બીજી પણ ઘણી સ્ત્રીઓ ઉપરાંત પ્રજાવૃદ્ધિ માટે, દક્ષ પ્રજાપતિની અદિતિ, દિતિ, દનુ, દનાયુ, કાલા, કપિલા, ક્રોધા, પ્રાધા, ઇલા, વનિતા, સિંહિકા, મુનિ અને કદ્રુ એ તેર કન્યાને કશ્યપ પરણ્યા હતા. આ બધી સ્ત્રીઓમાં તેમને અદિતિ ઘણી પ્રિય હતી અને અદિતિથી તેમને બાર આદિત્ય અને ઇન્દ્ર વગેરે દેવતાઓ થયા. અદિતિથી દૈત્યો ઉત્પન્ન થયા. આમ તેમના સંતાનોમાં દેવ, દૈત્ય, મનુષ્ય, નાગ, પક્ષી ઇત્યાદિ પ્રાણીઓ ઉત્પન્ન થયાં છે. ભગવાન વિષ્ણુએ કશ્યપની પત્ની અદિતિને પેટે અવતાર ધાર્યો હતો.

7. જમદગ્નિ – જમદગ્નિ એક પ્રાચીન ગોત્રકાર વૈદિક ઋષિ અને ભૃગુકુળના મહર્ષિ ઋચિક મુનિને ગાધિ રાજાની કન્યા સત્યવતીને અવતર્યા હતા. તેમની ગણના સપ્તર્ષિઓમાં કરવામાં આવે છે. વિશ્વામિત્રની સાથે તે પણ વસિષ્ઠના વિપક્ષી હતા.

જમદગ્નિ ઉત્પત્તિ સંબંધી લખેલું છે કે ઋચિક ઋષિએ પોતાની સ્ત્રી સત્યવતી, જે ગાધિ રાજાની પુત્રી હતી, તેને તથા તેની માને માટે બે ભિન્નગુણવાળા ચરુ તૈયાર કર્યા હતા. બંને ચરુ પોતાની સ્ત્રી સત્યવર્તીને આપીને તેને બતાવી આપ્યું હતું કે ઋતુસ્નાન પછી આ ચરુ તમારે ખાવો અને બીજો ચરુ તમારી માતાને ખવરાવવો. સત્યવતીએ બંને ચરુ પોતાની માતાને આપી તે સંબંધી બધી હકીકત તેને કહી. તેની માતાએ જાણ્યું કે ઋચિકે પોતાની સ્ત્રી માટે અધિક ઉત્તમ ગુણવાળો પુત્ર ઉત્પન્ન થાય એવો ચરુ બનાવ્યો હશે. તેથી તેનો ચરુ પોતે ખાઈ ગઈ અને પોતાનો ચરુ તેને ખવરાવી દીધો. જ્યારે બંને ગર્ભવતી થઈ ત્યારે ઋચિક પોતાની સ્ત્રીનાં લક્ષણ દેખી સમજી ગયા કે ચરુ બદલાઇ ગયો છે. ઋચિકે પોતાની સ્ત્રીને કહ્યું કે મેં તમારા ગર્ભમાં નિષ્ઠ પુત્ર અને તમારી માતાના ગર્ભમાં મહાબલી અને ક્ષાત્ર ગુણવાળો પુત્ર ઉત્પન્ન કરવા માટે ચરુ તૈયાર કર્યા હતા, પણ તમે ચરુ બદલી નાખ્યા. આ ઉપરથી સત્યવતી દુ:ખી થઇ અને પોતાના પતિને એવો કોઈ પ્રયત્ન કરવા પ્રાર્થના કરી કે જેથી પોતાના ગર્ભમાં ઉગ્ર ક્ષત્રિય ઉત્પન્ન ન થાય અને જો તે અનિવાર્ય હોય તો તે પોતાની પુત્રવધૂના ગર્ભમાં ઉત્પન્ન થાય. આ પ્રમાણે સત્યવતીના ગર્ભથી જમદગ્નિ અને તેની માતાના ગર્ભથી વિશ્વામિત્રનો જન્મ થયો. આને લીધે જમદગ્નિમાં પણ ઘણે અંશે ક્ષત્રિયોચિત ગુણો હતા. નામ પ્રમાણે તે બહુ જલદ સ્વભાવના ઋષિ હતા.

આ ઉપરાંત માન્યતા છે કે અગસ્ત્ય, અષ્ટાવક્ર, યાજ્ઞવલ્કય, કાત્યાયન, એતરેય, કપિલ, જેમિની, ગૌતમ વગેરે બધા ઋષિ ઉક્ત સાત ઋષિઓના કુળના હોવાને કારણે તેમને પણ એ જ સન્માન પ્રાપ્ત છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો