અમદાવાદમાં લવજેહાદનો કિસ્સો નોંધાયો: વિધર્મી યુવક સાથે લગ્ન કર્યા બાદ પોલીસની મદદથી છૂટાછેડા લેનારી યુવતીએ કહ્યું, ‘મારા જેવી ભૂલ ન કરતા, નરકમાંથી પાછી આવી છું, બે વાર એબોર્શન કરાવ્યું’

ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં લવ જેહાદનો એક કિસ્સો નોંધાયો છે. યુવતીએ તેનો પતિ રોજ શરીર સંબંધ બાંધવા જબરદસ્તી કરતો હોવાના તથા દહેજની માગણી કરી માર મારતો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી પોલીસની મદદથી છૂટાછેડા મેળવ્યા છે.

ગાયકવાડ પોલીસમાં રીના (નામ બદલ્યું છે)એ ફરિયાદ નોંધાવી પતિ મોહમદ ઇમરાન શેખ પાસેથી છૂટાછેડા લેવા મદદ માગી હતી.

ફરિયાદમાં તેણે આક્ષેપ કર્યો હતો કે, લગ્ન બાદ ઇમરાન રોજ શરીર સંબંધ બાંધવા જબરદસ્તી કરતો હતો. એક સંતાન થયા બાદ તે બીજી વખત ગર્ભવતી થઈ તો પતિએ લાતો મારતાં બાળક કૂખમાં જ મરી ગયું હતું. તેણે બે વખત એબોર્શન કરાવડાવ્યું હતું. સાસરિયાં પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતા હતા. પોલીસે 498, 114, દહેજપ્રતિબંધન ધારા હેઠળ પતિ ઇમરાન રહેમાન શેખ, સાસુ રેહાનાબીબી, જેઠ નવાજ, જેઠાણી રૂબીના, નણંદ સમીના સામે ગુનો દાખલ કર્યો છે. ઇમરાને પોતાના પરના આરોપો ખોટા ગણાવતા કહ્યું છે કે, તે ચાર વર્ષથી પરિવારથી જુદો રહે છે. ક્યારેય દહેજ માગ્યું નથી.

બંને પક્ષની મરજીથી છૂટાછેડા કરાવ્યા છે

ડીસીપી મકરંદ ચૌહાણના જણાવ્યા અનુસાર ગાયકવાડ પોલીસ સ્ટેશનના ડેઇલી રિપોર્ટમાં આ બનાવ ધ્યાને આવ્યો હતો. પૂછપરછમાં યુવતીએ આપવીતી સંભળાવી હતી અને પોલીસ પાસે છૂટાછેડા કરાવવા મદદ માગી હતી. બંને પક્ષની મરજીથી રિવાજ મુજબ છૂટાછેડા કરાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો