સુરતમાં સાડીમાં જોબવર્ક કરનાર યુવકે વીડિયો બનાવીને આપઘાત કર્યો, ‘હું મારી મરજીથી મોતને ભેટું છે, આ પાછળ કોઈ જવાબદાર નથી’

સુરતના પુણા વિસ્તારમાં રહેતા અને સાડી- ડ્રેસના જોબવર્કનું કામ કરતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. છેલ્લા કેટલાક મહિનાથી કાપડ બજારમાં મંદી આવતા આર્થિક સંકડામણમાં પગલું ભરી લીધું હતું. અંતિમ પગલુ ભરતાં અગાઉ યુવાને વીડિયો બનાવ્યો હતો. જેમાં હું મારી મરજીથી મોતને ભેટું છે. આ પાછળ કોઈ જવાબદાર નથી તેવું જણાવ્યું હતું. મારે દેવું ખુબ વધી ગયું છે જેથી આ પગલું ભરૂ છું. આ વીડિયો માત્ર પોલીસ માહિતી માટે જ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના લાઠીના રહેવાસી અને હાલ પુણાગામ વિસ્તારમાં આવેલ શંકરનગર સોસાયટીમાં રહેતો 27 વર્ષિય અંકિત કાનજીભાઈ સોજીત્રા સાડી વર્કનું ઘરે જ કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો. પણ છેલ્લા છ માસથી કાપડ બજારમાં મંદીના કારણે અંકિત આર્થિક સંકળામણનો ભોગ બન્યો હતો. જેના કારણે તેના પર દેવુ વધી ગયું હતું. જેથી અંકિતે શનિવારે પોતાના ઘરમાં લોખંડના હુક સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો.

આ બનાવ બાદ પોલીસે ઘટના સ્થળે જઇને કાર્યવાહી હાથ ધરી હતી. જયાં અંકિતના રૂમમાંથી પોલીસે તેનો મોબાઇલ ફોન કબજે કરતાં તેણે આપઘાત કરતાં અગાઉ પોતાનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં પોલીસને સંબોધન કરતાં જણાવ્યુ છે કે મારા મોતનું કારણ હું પોતે જ છું, મારે દેવું વધી ગયું છે. મારી પત્ની અને પરિવારજનો ખુબ જ સારા છે, મારા મોત માટે તેઓ જવાબદાર નથી. મારા મોત બાદ પોલીસ કોઈ પણ પ્રકારની તકલીફ મારા પરિવારને આપે નહીં. પોલીસે તેનો મોબાઇલ ફોન કબજે કરીને પરિવારના નિવેદન નોંધીને વધુ તપાસ આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો