સુરતમાં વેવાઈ-વેવાણ બાદ 32 વર્ષનો જમાઈ અને 45 વર્ષનાં કાકીસાસુ ભાગી ગયા

સુરત શહેરનાં કતારગામનાં વેવાઈ અને નવસારીનાં ભાવિ વેવાણ વર્ષો જૂનો પોતાનો પ્રેમ યાદ આવતા ભાગી ગયા હતા. આખા રાજ્યમાં આ અંગેની ચર્ચા ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે. ત્યારે આવી જ એક અન્ય ઘટના સામે આવી છે. કતારગામમાં જ રહેતા 32 વર્ષનો યુવક તેની 45 વર્ષની સગી કાકીસાસુને ભગાડી ગયો હોવાની ચર્ચાઓ ઉઠવા લાગી છે. જોકે, આ અંગે હજી કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી અને પોલીસમાં કોઇ ફરિયાદ પણ નથી થઇ.

શહેરનાં કતારગામમાં કાકીસાસુ અને જમાઈ એક જ સોસાયટીમાં રહે છે. આ બંન્ને ત્રણ દિવસથી ગુમ છે. પરંતુ પરિવારે સમાજમાં બદનામી ન થાય તે માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ યુવક કાપડ માર્કેટ સાથે સંકળાયેલો છે. તેઓ એકબીજાનાં પ્રેમમાં હતા અને ચોરી છૂપીથી મળતા પણ હતાં. આ પહેલા પણ કાકીસાસુ અને જમાઈને એકબીજા સાથે એકલામાં પકડી પાડ્યાં હતા. જે બાદ જમાઈને ઘણો જ માર પણ મારવામાં આવ્યો હતો. જે બાદમાં બંન્નેએ પરિવાર વચ્ચે વાતચીતથી વાત પતી હતી. ત્યારે જમાઈએ પરિવારને બાંહેધારી પણ આપી હતી કે, ફરી આવુ નહીં થાય. ત્યારે ફરીથી ત્રણ દિવસથી યુવક અને કાકીસાસુ બંન્ને ગુમ છે. ત્યારે પરિવારે ખાનગી રીતે એ બંન્નેને શોધવાની પ્રક્રિયા હાથ ધરી છે.

અગાઉ જમાઈને ઢોર માર માર્યો હતો

જમાઈ કાપડ માર્કેટ સાથે સંકળાયેલો છે. જમાઈ અને કાકીસાસુ એકબીજાનાં પ્રેમમાં હતા અને ચોરી છૂપીથી મળતા પણ હતાં. આ પહેલાં પરિવારજનોએ કાકીસાસુ અને જમાઈને એકબીજા સાથે એકલામાં પકડી પાડ્યાં હતા. જે બાદ જમાઈને ઘણો જ માર પણ મારવામાં આવ્યો હતો. ત્યારે જમાઈએ પરિવારને બાંહેધારી પણ આપી હતી કે, ફરી આવુ નહીં થાય. પણ બંને વચ્ચેનો પ્રેમ ખતમ થયો ન હતો.

ત્રણ દિવસથી જમાઈ અને કાકીસાસુ બંન્ને ગુમ રહેતાં પરિવારે ખાનગી રીતે બંનેની શોધખોળ શરૂ કરી છે. પણ સમાજમાં બદનામી ન થાય તે માટે આ કિસ્સો બહાર આવ્યો નથી. કે પરિવારજનો દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

તો બીજી બાજુ કતારગામનાં વેવાઈ અને નવસારીનાં ભાવિ વેવાણ પણ કેટલાય દિવસોથી ભાગી ગયા છે. ત્યારે આ કેસમાં સંભવિત વર-વહૂએ લગ્નની ના પાડી દીધી છે. આ અંગે પરિવારના સૂત્રોનાં જણાવ્યા અનુસાર, યુવતીની માતા અને યુવકના પિતા એકબીજાને યુવાનીના દિવસોથી જ ઓળખતા હતા. તેઓ એક જ સોસાયટીમાં રહેતા હતાં. ત્યારથી એક-બીજા સાથે લગ્ન કરવા માગતા હતા. નોંધાયેલી ફરિયાદ બાદ પણ પોલીસ આ બંનેને શોધવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે બંને પરિવારે તેમના બાળકોનો લગ્નસંબંધ પણ તોડી દીધો છે. યુવક અને યુવતી પણ આ લગ્નસંબધથી ખુશ હતા પરંતુ હવે તેમના માતા-પિતા ગાયબ થઈ ગયા હોવાથી બંને આ લગ્ન કરવાની ના પાડી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો