કોરોના સામેની લડત માટે 82 વર્ષીય વૃદ્ધાએ પોતાની પેન્શનની રકમમાંથી 1 લાખ રૂપિયા દાન કર્યા

હાલ સમગ્ર દેશ-દુનિયામાં કોરોના વાયરસનો આતંક ફેલાયેલો છે. કોરોના સામેની લડાઈ માટે લોકો મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને દાન આપી રહ્યા છે. મધ્યપ્રદેશના 82 વર્ષીય વૃદ્ધાએ તેઓને મળતા પેન્શનની રકમમાંથી રૂપિયા 1 લાખની મદદ કરી છે. કોરોના સામેની લડાઈમાં હવે આ વૃદ્ધા પણ આગળ આવ્યા છે અને મુખ્યમંત્રી રાહત કોષમાં રૂપિયા રૂપિયા 1 લાખનું દાન કર્યું છે.

મધ્યપ્રદેશના આ વૃદ્ધાનું નામ સલભા ઉસ્કર છે અને તેઓની ઉંમર 82 વર્ષ છે. તેમણે પોતાના આખા જીવનની કમાણી એટલે કે પેન્શનમાંથી બચાવેલા પૈસામાંથી રૂપિયા 1 લાખ, મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવ્યા છે. હવે લોકો પણ તેમના આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે.

એક રિપોર્ટના જણાવ્યા અનુસાર આ વૃદ્ધાએ ન્યૂઝપેપરમાં એક જાહેરાત જોઈ હતી કે જેમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકારની પ્રયાસોની વાત હતી. આ વૃદ્ધાએ તેમના પતિના પેન્શનમાંથી પણ ચોક્કસ રકમ કોરોના વાયરસ સામેની લડતના ફંડમાં દાન કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો