સુરતમાં કોરોનાને કારણે પતિ હૉસ્પિટલમાં હતો, કોરોનાગ્રસ્ત પત્નીએ પતિની ચિંતામાં આત્મહત્યા કરતા ચકચાર મચી
કોરોનાને લઈ લોકોમાં ડર હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોરોનાગ્રસ્ત પતિની ચિંતામાં મહિલાએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. સોસાયટી નજીક મંદિર પાસેની જગ્યામાં ફાંસો ખાઈને મોત વહાલું કરી લીધું હતુ. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જોકે અનલોક ખુલ્યા બાદ લોકોમાં જાગૃતતા આવી તો છે પરંતુ કેટલાક લોકોમાં કોરોનાને લઈ ડર પણ દેખાઈ રહ્યો છે. ત્યારે પતિને કોરોના પોઝીટીવ આવતા ચિંતામાંમાં પત્નીએ આત્મહત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે. બીજી વાત એ પણ છે કે, મહિલા પણ કોરોના પોઝિટિવ હતી.
આ ઘટના અડાજણના પાલ વિસ્તારમાં ઘટી છે. મહિલાએ સોસાયટી નજીક મંદિર પાસેની જગ્યામાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અડાજણ પોલીસના જણાવ્યા અનુસાર, પાલ પાસે મોઢ વણિક વાડીની બાજુમાં ઓમ રેસિડેન્સીમાં અશોકભાઇ દેસાઇ પત્ની માયાબેન સાથે રહે છે. તેમનો દીકરો ભરૂચમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પતિ-પત્ની નિવૃત્ત જીવન જીવે છે. અશોકભાઈને કોરોના પોઝિટિવ આવતા તેમને બાપ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માયાબેનને પણ કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા હતા અને તેઓને ઘરે જ કૉરોન્ટીન રહેવાની જ સલાહ આપીને દવા આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

