ભુજમાં 25 વર્ષીય પરિણીતાની આપવીતિ: પતિ અકુદરતી શારીરિક સંબંધ બાંધતો, 5 વર્ષ અસહ્ય પીડા સહન કરી પણ પછી….

ભુજ તાલુકાના દહિંસરા ગામની ભદ્ર પરિવારની પરિણીતા પોતાની આપવીતિ કહેવા પોલીસ પાસે આવતાં પોલીસ પણ તેની ફરિયાદ સાંભળી અચંબામાં મૂકાઈ ગઈ હતી. 25 વર્ષીય પરિણીતા સાથે તેનો પતિ છેલ્લા પાંચ વર્ષથી તેની મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યો હતો. આ અંગે તે રિસામણે બેઠી હતી અને પતિ સુધરી જશે તેવી આશા સાથે સમાધાન તરફ પણ વળી હતી. પરંતુ મનોવિકૃત પતિ ન સુધરતાં તેની વિરુદ્ધ માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ભુજ તાલુકાના દહિંસરાની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેનો પતિ અકુદરતી રીતે તેની સાથે સંબંધ બાંધી રહ્યો હતો. જેનાથી પીડા અનુભવાતી હતી. આખરે પતિ ન સુધરતાં તે છેલ્લા છ-સાત માસથી રિસામણે બેઠી હતી અને વડીલોની મધ્યસ્થીથી તે સમાધાન કરી ઘર સંસાર માંડવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ પતિમાં કોઈ સુધારો ન આવતાં આખરે પોલીસ ફરિયાદ કરી હતી.

પરિણીતાએ આપવીતિ બયા કરતાં પોલીસનાં પગ નીચેથી જમીન હલી ગઈ હતી. તેણે કહ્યું હતું કે, પાંચ વર્ષ દરમિયાન તેનો પતિ તેની મરજી વિરુદ્ધ અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યો હતો. જેથી કંટાળીને તે રિસામણે બેઠી હતી. તે દરમિયાન પતિ સુધરવાની આશાથી વાત સમાધાન તરફ ગઈ હતી. પરંતુ મનોવિકૃત પતિમાં સુધારો આવ્યો ન હતો અને તેણે અકુદરતી સંબંધ પત્નીની પીડાની પરવાહ કર્યા વિના રાખી રહ્યો હતો.

સતત નામરજી તથા સખત પીડા વચ્ચે પણ પતિમાં કોઈ સુધારા આવ્યો ન હતો. છેવટે પરિણીતાએ પતિ વિરુદ્ધ ઈ.પી.કો. 377 (અકુદરતી યૌનસંબંધ રાખવાની ધારા) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેની તપાસ માનકુવા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર કે.બી.વિહોલે શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો