શા માટે વકીલ અદાલતમાં કાળા રંગનો જ કોટ પહેરે છે ?

આપણે વકીલને કાળા રંગનો કોટ પહેરતા ટીવીમાં સિરિયલ અને ફિલ્મોમાં જોયું જ હશે. પરંતુ શું આપણને ખ્યાલ છે શા માટે તો કાળા રંગનો જ કોટ પહેરે છે તો ચાલો આજે આપણે આ વિષે વાત કરીએ અને જાણીએ તેની પાછળનું કારણ…

આપણાં દેશમાં કાળા રંગનો ડ્રેસ કોડ વકીલો વચ્ચે અનુશાસન અને આત્મવિશ્વાસ હોવાનું પ્રતીક માનવમાં આવે છે. આ ડ્રેસએ બીજા પ્રોફશનની તુલનામાં વકીલોને અલગ પહેચાન આપી છે. 1961માં ભારતમાં એડ્વોકેટના નિયમ અનુસાર વકીલ માટે કાળારંગના કોટ અનિવાર્ય કરવામાં આવ્યો હતો.

કાળા રંગને શોક માટેનું પ્રતીક માનવમાં આવે છે. જ્યારે ઇંગ્લેન્ડમાં કિંગ ચાર્લ્સનું અવસાન થયું ત્યારે શોક વિધાનસભામાં તમામ એટર્નીઓએ કાળો રંગીન કોટ પહેર્યો હતો. ત્યારથી વકીલોએ બ્લેક કોર્ટને ફરજિયાત બનાવ્યું હતું, ઇંગ્લેન્ડમાં વ્યવસાય માટે કાળો રંગ ખૂબ જ લોકપ્રિય છે.

કાળા રંગને સત્તા અને અધિકાર માટેનું પ્રતીક માનવામાં આવે છે. કાળો રંગ સબંધો વચ્ચે , આજ્ઞાપાલન કરવાનો પણ છે તેથી વકીલોને ન્યાયના વિષય તરીકે ગણવામાં આવે છે. જે વકીલ તેના શર્ટ પર સફેદ બેન્ડ પહેરે છે તેને શુદ્ધતા અને નૈતિકતાના પ્રતીક કહેવામાં આવે છે.

કાળો રંગ પણ અંધત્વનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાઈ છે કે અંધ લોકો ક્યારેય પણ પક્ષપાત કરતા નથી તેથી, વકીલો પણ બ્લેક કોટ પહેરે છે. કાળો કોટ પહેર્યા પછી, વકીલ કોઈપણ ભેદભાવ કર્યા વિના સત્ય માટે હમેશાં લડે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો