વડોદરામાં યુવક અને યુવતીએ કોઈ પણ જાતનો ખર્ચ કર્યા વગર કબીરવાણી દ્વારા લગ્ન કર્યા, માત્ર 17 જ મિનિટમાં થયા લગ્ન!

લાખો રૂપિયાના ખર્ચા કરી દેખાડો કરવા અથવા દહેજ લીધા વગર રવિવારના રોજ શહેરના હરણીસ્થિત વાલમ હોલ ખાતે 17 મિનિટમાં રાજસ્થાનના યુવક અને રાજપીપળાની યુવતીના લગ્ન યોજાયા હતા, જેમાં પરિણીતાને માત્ર એક જોડી કપડામાં જ વિદાય આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કબીર પંથ સાથે જોડાયેલા તુષાર બારોટેએ જણાવ્યું હતું કે હરણીસ્થિત વાલમ હોલ ખાતે સંત રામપાલજી મહારાજના સાંનિધ્યમાં 11 જુલાઈના રોજ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગ બાદ સંત રામપાલજીના જ શિષ્ય અને રાજસ્થાનમાં રહેતા હરીશ લોહાર જે ખાનગી કંપનીમાં લોજિસ્ટિક મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેમના લગ્ન સંત રામપાલજીનાં જ શિષ્યા અને રાજપીપળા ખાતે રહેતાં રુચિ પાંડે સાથે કરવામાં આવ્યા હતા.

મહત્ત્વની વાત એ છે કે આ લગ્ન માત્ર 17 મિનિટમાં જ પૂરા કરી દેવામાં આવ્યા હતા, જેમાં માત્ર કબીર વાણીનો પાઠ કરવામાં આવતો હોય છે. 17 મિનિટના લગ્નમાં વર-વધૂ એકબીજાને હાર કે મંગળસૂત્ર નથી પહેરાવતા કે નથી 7 ફેરા લેવામાં આવતા. લગ્નબંધનથી બંધાવા માટે વર-વધૂ કોઈ વચનો પણ નથી લેતાં. આ લગ્નમાં કોઈ પંડિત કે બ્રાહ્મણ પણ બોલાવવામાં નથી આવતા.

કબીર પંથના લગ્નમાં કોઈ ખર્ચો નથી હોતો
કબીર પંથ લગ્નમાં ખોટા ખર્ચા કરી દેખાડો કરવામાં માનતો નથી. આ ઉપરાંત તેમના દ્વારા આયોજિત લગ્નમાં કોઈ દહેજ કે સામાન્ય મીઠાઈનો પણ ખર્ચો હોતો નથી. માત્ર કબીરવાણીના પાઠ દ્વારા સાદાઈથી 17 મિનિટમાં યુવક-યુવતીના લગ્ન કરી દેવાતા હોય છે. સંત રામપાલજીના દેશભરમાં હજારો શિષ્યો કોઈ ફાલતુ ખર્ચા કર્યા વગર કબીરવાણી દ્વારા લગ્ન કરતા હોય છે. જોકે આ પહેલાં તેઓ કોર્ટ મેરેજ કરી રજિસ્ટ્રેશન કરાવી લેતા હોય છે. વડોદરામાં છેલ્લાં 3 વર્ષમાં આવાં 15 લગ્ન થયાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો