વિજય નહેરાએ અટલ બિહારી વાજપેયીના મુખે બોલાયેલી કવિતા સંભળાવી અનેક નિશાન સાધ્યા

અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલે સીએમ રૂપાણી સાથે બેઠક કરી હતી. જે બાદ તેઓએ ટ્વીટ કરીને પોતે ગ્રામીણ વિકાસનો ચાર્જ સંભાળી લીધો હોવાની માહિતી આપી હતી. અને બાદમાં તેઓએ શિવમંગલ સિંહ ‘સુમન’ની કવિતા ટવીટર પર શેર કરી હતી. જેનું કેપ્શન હતું- વરદાન માંગુંગા નહીં. શિવમંગલ સિંહ ‘સુમન’. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ આ કવિતા સંભળાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વિજય નહેરા આમ તો પહેલાં ટ્વીટર પર સતત સક્રિય રહેતા હતા. પણ 5 મેનાં રોજ ક્વોરન્ટાઈન થયા બાદ તેઓ ઈનએક્ટિવ થઈ ગયા હતા. જે બાદ તેઓએ 9 મેના રોજ પોતે નેગેટિવ હોવાની અને ફરીથી ચાર્જ સંભાળવાની વાત કરી હતી. પણ તેઓની આ આશા પર પાણી ફરી વળ્યું હતું. અને સરકારે તેમની બદલી ગ્રામીણ વિકાસમાં કરી દીધી હતી.

વિજય નહેરાની બદલી થતાં જ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. અને આ મામલે હાલમાં જ ભાજપે વિજય નહેરા વિરુદ્ધ ટ્વીટર પર અભિયાન છેડ્યું હતું. જે હવે તેમના માટે જ ભારે પડી ગયું છે. જો કે આજે વિજય નહેરાએ શેર કરેલી કવિતા પાછળનો અર્થ શું હોઈ શકે તે મુદ્દે હવે લોકો ચર્ચા કરવા લાગ્યા છે. ભાજપે જે રીતે અભિયાન છેડ્યું તે બાદ વિજય નહેરાએ શેર કરેલી આ કવિતા ઘણું બધું કહી જાય છે.

કવિતાના થોડાક અંશો જોઈએ તો- જીવન મહાસંગ્રામ છે. હું ભીખ નહીં માગુ, વરદાન નહીં માગું. હું હાર અને જીતથી ભયભીત થતો નથી. સંઘર્ષ પથ પર જે પણ મળે, આ પણ ઠીક છે તે પણ ઠીક છે. તમે મહાન બનેલાં રહો. હું મારા હૃદયની વેદના વ્યર્થ ત્યાગીશ નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો