સુરતમાં કોરોનાને લઈને અશ્વિની કુમાર સ્મશાન હાઉસ ફુલ, મૃતદેહ અન્ય સ્મશાને લઈ જતા હોવાનો વીડિયો થયો વાઈરલ

કોરોનાને લઈને અશ્વિની કુમાર સ્મશાન હાઉસ ફુલ હોવાથી મૃતદેહ અન્ય સ્મશાન લઈ જતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેથી અશ્વિની કુમાર સ્મશાનમાં તપાસ કરતા હાલ રોજ 70થી વધુ મૃતદેહ આવી રહ્યા છે અને રાત્રે 12 વાગ્યા સુધી અંતિમ વિધિ એટલે કે અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લગભગ 2 કલાકનું વેઇટિંગ ચાલે છે

સોમાભાઈ દાતર્ક (મેનેજર અશ્વની કુમાર સ્મશાન ગૃહ સુરત) એ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી સ્મશાન ગૃહમાં મૃતદેહની સંખ્યામાં વધારો નોંધાયો છે. લગભગ રોજની 70થી વધુ મૃતદેહ અંતિમવિધિ માટે આવી રહ્યા છે. રાત્રે 12 વાગ્યા સુધી અંતિમ વિધિ એટલે કે અગ્નિદાહ આપી રહ્યા છે. હાલ ગેસ ચેમ્બરમાં જ તમામ મૃતદેહ ને અગ્નિદાહ આપવાની કામગીરી ચાલી રહી છે. વધારે પડતી ભીડને જોઈ કેટલાક સગાવાળાઓ મૃતદેહને બીજા સ્મશાન ગૃહમાં પણ લઈ જઈ રહ્યા છે. લગભગ 2 કલાકનું વેઇટિંગ કહી શકાય છે. માત્ર એક જ સમસ્યા છે માણસો ડરના મારે ભાગી રહ્યા છે જેમ તેમ 7 માણસોથી આખું સ્મશાન ગૃહ ચાલી રહ્યું છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો