આખરે વેવાણ પોલીસ સ્ટેશનમાં થયા હાજર, જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા

વેવાઈ-વેવાણના પ્રેમપ્રસંગમાં જોડી ભાગી ગયાની ઘટનામાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા છે. વેવાણના પિતા દીકરીને લેવા માટે સુરત પહોંચી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચર્ચાસ્પદ વેવાઈ-વેવાણના પ્રેમપ્રસંગ મામલો ચગડોળે ચઢ્યા બાદ કાલે રાત્રે વેવાણ વિજલપુર પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા છે. એટલે કે, વેવાણની ભાળ મળી ગઈ છે. વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે, જેની વાત વાયુ વેગે ફેલાતા જીજ્ઞાસુ લોકોના ટોળે ટોળા વેવાણને જોવા માટે પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, વેવાણે પોલીસ સ્ટેશન હાજર થઈ જતા પોલીસે તેમના પતિ અને પરિવારને આ મામલે જાણ કરી હતી. વેવાણે પોલીસ સ્ટેશનમાં આપેલા નિવેદન અનુસાર, આ ઘટના બની તે અમારી ભુલ છે તેવું કહ્યું છે. વેવાણે પોલીસને કહ્યું કે, હું અને વેવાઈ બંનેના પ્રેમ પ્રકરણમાં સમજૂતીથી અમે છૂટા થયા છે, અને હું પોલીસ સ્ટેશન હાજર થઈ છું.

જોકે, વેવાણ તો પોલીસ સ્ટેશન હાજર થઈ ગયા પરંતુ વેવાણના પતિએ તેમને અપનાવવાનો ઈનકાર કર્યો છે. હાલમાં વેવાણના પિતા વેવાણને લેવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. મહત્વની વાત એ છે કે, કોઈ સેલિબ્રિટી આવી હોય અને જિજ્ઞાસાથી લોકો તેને જોવા ઉમટે તેમ વેવાણને જોવા માટે લોકોના ટોળા પોલીસ સ્ટેશને લાગ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના નવસારીમાં 5 દિવસ પહેલા બે પરિવારો યુવક – યુવતીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. લગ્નનો હોલ, કપડા, કેટરીંગ, ઘરેણાથી લઇને મોટાભાગની તૈયારીઓ થઇ ચુકી હતી. પરંતુ તેવામાં બંને પરિવાર વચ્ચે એક અજીબોગરીબ કારણને લઇને વિવાદ સર્જાયો હતો અને બાદમાં આ યુવક અને યુવતીના લગ્ન તુટી ગયા હતા

સુરતના નવસારીના યુવક-યુવતીના લગ્ન ફેબ્રુઆરી માસમાં થવાના હતા પરંતુ તે પહેલા વરરાજાના પિતા અને વરવધુની મા બંને અચનાક ગુમ થઇ ગયા હતા. પરિવારના જણાવ્યા અનુસાર વરરાજાના પિતા અને વરવધુની મા બંને લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા અને એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંનેએ લગ્ન પણ કરી લીધા છે.

વિગતે વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન નવસારીની યુવતી સાથે થવાના હતા. પરંતુ લગ્નના એક મહિના પહેલા યુવતીની માતા અચાનક ગુમ થઇ ગઇ હતી. પરિવારે આ અંગે પોતાની રીતે તપાસ કર્યા બાદ કોઇ પરિણામ ન મળતા અંતે આ અંગે પોલીસમાં જાણ કરી હતી. બીજી તરફ યુવકના પિતા પણ અચાનક ગુમ થઇ ગયા હતા અને તેઓના પણ કોઇ સમાચાર ન મળતા હોય તેમના પરિવારે પોલીસને આ અંગે જાણ કરી હતી.

પારિવારીક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વરરાજાના પિતા અને વરવધૂની માતા બંને પહેલાથી એકબીજાને ઓળખતા હતા. અને બંને યુવાનીના સમયથી લગ્ન કરવા માંગતા હતા. પોલીસને જાણ કર્યાના 10 દિવસ થયા હોવા છતાં હજુ સુધી પોલીસને આ બંનેનું પગેરૂ મળ્યું નથી જેથી બંને પરિવારે યુવક-યુવતીના લગ્ન કેન્સલ રાખ્યા છે અને આ સબંધ પર પૂર્ણવિરામ મુક્યું છે.

એક તરફ જ્યાં લગ્નની શરણાઇ વાગવામાં થોડા દિવસોની વાર હતી. યુવક અને યુવતી બંને લગ્નને લઇને ઉત્સાહમાં હતા અને મોટાભાગની ખરીદી પણ થઇ ગઇ હતી. એવામાં વેવાઇ ભાવી વેવાણને લઇને ભાગી જવાની ઘટના સામે આવતા બંને પરિવારો વચ્ચે સબંધો વણસી ગયા હતા અને યુવક-યુવતી બંનેએ આ લગ્ન કરવાનું કેન્સલ રાખ્યું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો