અમદાવાદમાં દર્દીનું મોત થતા પરિવારજનો વિફર્યા, ચાંદખેડામાં આવેલી TLGH હોસ્પિટલમાં તોડફોડ, સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ

ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે આવેલી કોરોના ની સારવાર આપતી ટી. એલ. જી .એચ. હોસ્પિટલમાં મંગળવારે મોડી રાત્રે એક પેશન્ટ ના સગા સંબંધીઓએ તોડફોડ કરી હતી. હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા યુવાનને મંગળવારે રાત્રે રજા આપવાની હતી. જો કે રજા આપવાના સમયે જ એકાએક યુવાનનું મૃત્યુ નીપજયું હોવાની જાહેરાત હોસ્પિટલ સત્તાવાળાઓએ કરી હતી. જેથી રોષે ભરાયેલા યુવાનના પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.

દાણીલીમડામાં રહેતા 36 વર્ષના અમિત કાપડિયાની સાસરી ચાંદખેડામાં જ આવેલી છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસેની ટી એલ જી એચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તબિયતમાં સારો એવો સુધારો હતો. તમામ રિપોર્ટ નોર્મલ આવતા તેમને મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપવાની હતી. જોકે પરિવારના સભ્યો અમિતભાઈ ને ઘરે લઈ જવા હોસ્પિટલ આવ્યા તેની થોડી વારમાં હોસ્પિટલ સત્તાવાળાએ તેમને કહ્યું હતું કે અમિતનું અવસાન થયું છે.

આથી પરિવારના સભ્યો રોષે ભરાયા હતા અને હોસ્પિટલના ડોક્ટરો નર્સો સહિતના સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો. જેમાં અમિતભાઈ ના પરિવારના સભ્યોએ હોસ્પિટલના કાચ, ખુરશી ટેબલ તોડી કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા ચાંદખેડા પોલીસ આવી પહોંચી હતી .જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. પરંતુ પોલીસે હોસ્પિટલમાં આવીને સૌથી પહેલાં મામલો શાંત પાડયો હતો .

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો