વડોદરામાં પરિણિત પ્રેમીને પરણનારી યુવતીનો નિર્વસ્ત્ર થઈ આપઘાત, બોડી જોઈ પોલીસ પણ ચોંકી

CISFના પરિણિત જવાન સાથે લગ્ન કરનારી ડિવોર્સી યુવતીએ નિવર્સ્ત્ર હાલતમાં ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કર્યો હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. યુવતી પોતાના પતિ સાથે જૂની બહેનપણીના ઘરે આવી હતી. તેણે આપઘાત કર્યો ત્યારે ઘરમાં તેના સિવાય કોઈ મોજૂદ નહોતું. જોકે, જીવન ટૂંકાવતા પહેલા યુવતી નિર્વસ્ત્ર કેમ થઈ તે કોયડો પોલીસને પણ મૂંઝવી રહ્યો છે. હાલ પોલીસ યુવતીની બહેનપણી અને તેના પતિની પૂછપરછ કરી રહી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, અકોટા વિસ્તારમાં રહેતી શીતલ પરમાર નામની યુવતી એક મોલમાં કામ કરતી હતી. જ્યાં તેની દોસ્તી રાહુલ નામના એક શખ્સ સાથે થઈ હતી. જોકે, થોડા સમય બાદ રાહુલને CISFમાં નોકરી મળતાં તે મોલની નોકરી છોડીને જતો રહ્યો હતો, અને બાદમાં તેણે અન્ય એક યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હતા અને તેને બે બાળકો પણ હતા.

રાહુલ અને શીતલ વચ્ચે થોડા મહિના પહેલા જ ફરી સંપર્ક થયો હતો. તેમની ફ્રેન્ડશીપ હવે પ્રેમસંબંધમાં ફેરવાઈ ચૂકી હતી. રાહુલ પરણી ગયો છે તે વાત પણ શીલત જાણતી હોવા છતાંય સપ્ટેમ્બર 2020માં તેની સાથે ભાગી ગઈ હતી. જે બાબતે યુવતીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે શીતલને શોધી લાવી તેની કસ્ટડી તેના માતાપિતાને સોંપી હતી, અને ત્યારબાદ તેણે રાહુલને છોડી દીધો હતો.
જોકે, બંને એકબીજાને હજુય ચાહતા હતા. મહિના પહેલા જ તેઓ ફરી સંપર્કમાં આવ્યા હતા, અને શીતલ પોતાનું ઘર છોડીને દિલ્હી રહેતા રાહુલ પાસે જતી રહી હતી. અહીં બંનેએ લગ્ન પણ કરી લીધા હતા, અને એકબીજાની સાથે રહેતા હતા. રાહુલે બીજા લગ્ન કરી લીધા હોવાની ખબર પડતાં તેની પહેલી પત્નીએ બબાલ કરી હતી. જોકે, રાહુલે તેને સમજાવી લીધી હતી, અને આમ તે શીતલને તે પહેલી પત્ની સાથે જ રાખતો હતો.

આ દરમિયાન રજા લઈને વતન આવેલો રાહુલ શીતલ સાથે સોમવારે શોપિંગ કરવા માટે વડોદરા આવ્યો હતો. જ્યાં તેઓ શીતલની જૂની બહેનપણી યોગીતાના ઘરે રોકાયાં હતાં. મંગળવારે સવારે યોગીતા નોકરી પર જવા નીકળી ગઈ હતી, અને રાહુલ પણ ત્રણ મહિના પહેલા પોલીસે જમા કરી લીધેલું બાઈક છોડાવવા માટે ગયો હતો. આ દરમિયાન શીતલ ઘરે એકલી જ હતી, અને તેણે ગળે ફાંસો ખાઈ લીધો હતો.

સાંજે જ્યારે શીતલની બહેનપણી યોગીતા ઘરે આવી ત્યારે તેણે ઘરનો દરવાજો ખોલ્યો તો સામે જ શીતલની નિર્વસ્ત્ર હાલતમાં લાશ લટકતી હતી. તેની લાશ જોતા જ યોગીતાએ રાહુલને ફોન કર્યો હતો અને પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે લાશને નીચે ઉતારીને પીએમ માટે મોકલી આપી હતી.

બીજી તરફ, શીતલના માતાપિતાને આ ઘટનાની જાણ થતાં તેમણે તેની લાશ સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો. શીતલે બીજા સમાજમાં લગ્ન કર્યા હોવાથી તેના પરિવારને નાત બહાર મૂકી દેવાયો હતો. પોલીસને તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે તેના અગાઉ એક જગ્યાએ લગ્ન થયા હતા, પરંતુ પતિ સાથે મનમેળ ના થતાં તેણે ડિવોર્સ લઈ લીધા હતા. શીતલે જે બહેનપણીના ઘરે આપઘાત કર્યો હતો તે પણ ડીવોર્સી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

શીતલે આપઘાત કર્યાનો મેસેજ મળતા યોગીતાના ઘરે પહોંચેલી પોલીસને બેડરુમમાં એક મંગળસૂત્ર અને ફાટેલા કાગળના ટૂકડા પણ મળ્યા છે. આ ઉપરાંત, ઘરમાં કોઈએ પાનમસાલા ખાઈ પીચકારી મારી હોવાના ડાઘ પણ દેખાયા હતા, એટલું જ નહીં કિચનમાં જમવાનું પણ પડ્યું હતું. શીતલ ઘરમાં એકલી હતી ત્યારે કોઈ બહારની વ્યક્તિ અંદર પ્રવેશી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો