કળિયુગમાં માતા બની નિર્દયી, રાત્રે અઢી વાગ્યે પોતાના 5 બાળકોને ગંગામાં ફેંકી આવી

યુપીના ભદોહી જિલ્લામાં એક ભયંકર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક માતાએ તેના 5 બાળકોને મધ્યરાત્રિએ ગંગા નદીમાં ફેંકી દીધા હતા. આ ઘટના રાત્રે લગભગ 2 વાગ્યે ઘટી છે. સ્થાનિક પોલીસને સવારે આ વાતની માહિતી મળી હતી. આ પછી પોલીસે ઉતાવળમાં બચાવ કામગીરી શરૂ કરી છે. મહિલાનું કહેવું છે કે, હંમેશાં તેનો પતિ તેની સાથે ઝઘડો કરતો હતો, આ કારણે તે ખૂબ જ પરેશાન રહેતી હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ભદોહી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ગોપીગંજ કોટવાલી વિસ્તારના જહાંગીરાબાદ ગંગા ઘાટની છે. જહાંગીરાબાદ ગામની રહેવાસી મંજુ દેવીને 2 પુત્ર અને ત્રણ પુત્રી છે. મંજુ દેવી રાત્રે અઢી વાગ્યે બાળકો સાથે ગંગા ઘાટ પર પહોંચી હતી, ત્યારબાદ તે ઉંડા પાણીમાં ગઈ હતી અને બાળકોને નદીમાં ફેંકી દીધા હતા. આ પછી મંજુ રાત્રે તેના ઘરે આવી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે તે પોતાના બાળકોને ગંગા ઘાટ લઈ ગઈ ત્યારે તેનો પતિ ઘરમાં હાજર ન હતો. ગંગામાં મહિલાએ જે બાળકોને ફેંકી દીધા છે તેઓનું નામ વંદના (12 વર્ષ), રંજના (10 વર્ષ), પૂજા (6 વર્ષ), શિવ શંકર (8 વર્ષ), સંદીપ (5 વર્ષ) છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ ડીએમ અને એસપી પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ સ્થાનિક માહિતીની મદદથી બાળકોની શોધખોળ શરૂ કરી હતી. જો કે, બાળકો હજુ સુધી શોધી શકાયા નથી. પોલીસ આરોપી માતાની પૂછપરછ કરી રહી છે. મહિલાનું કહેવું છે કે, તેણી તેના પતિ સાથે તે દિવસે ખૂબ જ નારાજ હતી. પોલીસ તમામ મુદ્દાઓ પરથી કેસની તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો