પરિણીત પ્રેમી યુગલએ સજોડે આત્મહત્યા કરી લેતા બે પરિવારો પર આભ તૂટી પડ્યું, બંન્ને મૃતકોના હતા કુલ 8 બાળકો

આજના સમયમાં પ્રેમ સંબંધમાં ભાગી જઈ લગ્ન કરવાની યુવક-યુવતીઓમાં હોડ જામી છે. ગોપનાથ ગામના પરિણીત ભાવુબેન અને એજ ગામના પરિણીત એભલભાઈ એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા. આ પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા ત્યારે સમાજ પ્રેમી યુગલને નહીં સ્વીકારે અને એક-બીજાને ભેગા રહેવા નહીં દે એવો ભય ભાવુબેન એજ ગામના પરિણીત એભલભાઈ બંન્નેએ સાથે જીવી નહીં શકાય પરંતુ બન્ને સાથે તો મરી જ શકાય, એવો નિર્ણય લઇને બન્ને સજોડે આત્મહત્યા કરી લેતા બંન્ને પરિણીત પ્રેમી યુગલના પ્રેમનો અંત લાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. સજોડે આત્મહત્યા કરી લેતા બે પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જણાવી દઇએ કે મૃતક યુવક (એભલભાઈ મનુભાઈ બાભણીયા ઉંમર 42)ના 18 વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને સુખી લગ્ન સંસારના ભાગરૂપે 6 બાળકો છે. ત્યાં જ મહિલા (ભાવુબેન જીવણભાઈ ભીલ ઉંમર 39 )ના 17 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. જેઓને 2 બાળકો છે. બંને યુવક-યુવતી પરિણીત હોવાથી પરિવારજનો અને સમાજ પ્રેમસંબંધ નહીં સ્વીકારે તેવા ડરથી બંનેએ જીવનનો અંત આણી દીધો છે.

મૂળ તળાજાના ગોપનાથ વિસ્તારના રહેવાસી એભલભાઇ ઘોઘા તાલુકા વિસ્તારમાં વાડી ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા હતા અને એક માસ અગાઉ બન્ને ભાગી છૂટ્યા હતા. આજે બન્નેની લાશ મળી આવી હતી અને રોડ પર પોતાનું મોટરસાયકલ પડ્યું હતું. હાલમાં બંને મૃતકોના પરિવારો છિન્નભિન્ન થઇ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો