રાજકોટની કરૂણ ઘટનાઃ જેતપુરમાં પાટા પર રમતાં બે બાળકોનાં ટ્રેનની અડફેટે કમકમાટીભર્યાં મોત

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ટ્રેનની એડફટે બે બાળકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને બાળકો રમતા સમયે જેતપુરથી પસાર થઈ રહેલી ત્રિવેન્દ્રપુરી-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવ્યા હતા. જેથી કચડાઈ જવાને કારણે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મોટી સંખ્યામા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રમતા-રમતા રેલવે ટ્રેક પર આવી ગયા
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ભાદર નદીના પુલ પાસે આવેલા સાડી ફિનિસીંગના કારખાનામાં કામ કરતા મૂળ બિહારના શંભુરામ પ્રસાદ અને સિદેની મંડલના પરિવારના સભ્યો સૂતા હતા. આ દરમિયાન શંભુરામનો 11 વર્ષનો દીકરો આર્યન અને સિદેની મંડલનો દીકરો દીપુ ત્યાં રમી રહ્યા હતા. બંને રમતા-રમતા ભાદર નદીના પુલ ઉપર આવેલા રેલવે ટ્રેક પર આવી ગયા હતા. દરમિયાન અચાનક ટ્રેન આવી જતાં બંનેને અડફેટે લીધા હતા.

બંને પરિવારમાં શોકનો માહોલ
ટ્રેન નીચે કચડાઈ જતાં આર્યન અને દીપુનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. દુર્ઘટના બાદ ટ્રેન પણ રોકવામાં આવી હતી. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પરિવારના સભ્યો પણ ત્યાં આવી પહોચ્યા હતા અને બંનેની લાશ જોઈને ત્યાં જ ભાંગી પડ્યા હતા. આ દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. માસુમ બાળકોના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો