ભાવનગરમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં માતા-પિતાનું મોત, પુત્ર અને પુત્રી અનાથ થતાં શોકનું મોજું ફરી વળ્યું

ભાવનગરમાં રોડ એક્સિડેન્ટનો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. એસટી બસ અને કાર વચ્ચે થયેલાં અકસ્માતમાં દંપતીનું મોત નિપજ્યું હતું જ્યારે બે બાળકોને ઈજા પહોંચી હતી. ભાવનગરના તળાજા-મહુવા હાઈવે પર થયેલાં આ અકસ્માતમાં બે બાળકોના માથા પરથી માતા-પિતાની છત્રછાયા છિનવાઈ ગઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બંને બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ભાવનગરના તળાજા-મહુવા હાઈવે પર બ્રિજરાજસિંહ જાડેજા (ઉ.વ.39) અને જાગૃતિબા બ્રિજરાજસિંહ જાડેજા (ઉ.વ.35) પોતાના બે સંતાનો 11 વર્ષીય કાવ્યરાજ અને 9 વર્ષીય કીર્તિબા સાથે આજે બપોરના સુમારે ભાવનગર નજીકના બાડી પડવા સ્થિત સાસરેથી પોતાની ગાડીમાં મહુવા ઘર તરફ જઈ રહ્યાં હતા. ત્યારે તળાજા-મહુવા હાઈવે પ૨ પાસ્વી ગામના વળાંક નજીક મહુવા- ભાવનગર રૂટની એસટી બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયાવહ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. કારમાં સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અને તેમના બે સંતાનો ઈજા પહોંચી હતી. આ ઉપરાંત બસમાં સવાર એક વ્યક્તિને પણ ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં બે બાળકો અનાથ થઈ જતાં લોકોની આંખો નમ થઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો