ચીનની વસ્તુઓના બાહિષ્કાર માટે રાષ્ટ્રીય અભિયાન ‘ભારતીય સામાન, હમારા અભિમાન’, વેપારીઓ 40 હજાર કરોડની ચીનની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવશે

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAT) ચીનની વસ્તુઓના બાહિષ્કાર માટે રાષ્ટ્રીય અભિયાન ‘ભારતીય સામાન, હમારા અભિમાન’ચલાવી રહ્યું છે. આ અંતર્ગત કેટે અગામી તહેવારી સિઝનમાં ચીનની વસ્તુઓની જગ્યાએ ભારતીય સામાન વાપરવાની અપીલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

CATના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે હવેથી લઈને દિવાળી સુધી દેશમાં તહેવારી સિઝન છે. આ સિઝનમાં ચીનમાંથી આયાત કરવામાં આવેલો લગભગ 35થી 40 હજાર કરોડ રૂપિયાનો સામાન વેચાય છે. તેમાં ભગવાનની મૂર્તિઓ, અગરબતી, રમકડા, ઈલેક્ટ્રોનિક્સ, ફટાકડા અને દીવા સહિત ઘણા પ્રકારનો સામાન સામેલ છે.

CAT એ બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ

આ વર્ષે દેશના વેપારીઓએ નક્કી કર્યું છે કે તેઓ આ વર્ષે ચીનનો સામના વેચશે નહિ. વેપારીઓ પોતાના જ દેશમાં જ બનેલો સામાન વેચીને ચીનને 40 હજાક કરોડ રૂપિયાનો ઝટકો આપશે. આ ક્રમમાં ગણેશ ચતુર્થી નવા અંદાજમાં ઉજવવા માટે CAT ભગવાન ગણેશની નાની-નાની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવડાવી રહ્યું છે. CAT એ કેટલીક તસ્વીરો પણ બહાર પાડી છે. ગજાનંદની આ પ્રતિમાઓ માટી, ખાતર અને છાણમાંથી બનેલી છે. CATએ આ પ્રતિમાઓને ‘પર્યાવરણ મિત્ર ગણેશજી’ નામ આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો